ફૉસ્ફૉરીકરણ (phosphorylation) : ફૉસ્ફેટ સમૂહ ‘p’ ()ને એસ્ટર બંધન વડે કોઈ પણ સંયુક્ત પદાર્થ સાથે જોડવાની પ્રક્રિયા. મોટાભાગની પ્રક્રિયાઓ ATP (A – P~P~P)ના વિઘટન સાથે સંકળાયેલી હોય છે; દા.ત.,

ADP ફૉસ્ફૉરીકરણની પ્રક્રિયામાં કાર્યશક્તિનો ઉમેરો થતો હોવાથી, તેની સાથે સંકળાયેલા ઉત્સેચકોને ‘કાઇનેઝ’ તરીકે ઓળખવામાં આવે છે.

ચયાપચયના એક પ્રકારમાં ઉત્સેચકોનું અન્યોન્ય રૂપાંતરણ (interconversion) થાય છે. આ રૂપાંતરણ સાથે ફૉસ્ફૉરીકરણની પ્રક્રિયા સંકળાયેલી છે. ATPના વિઘટનથી ‘p’ સમૂહ પ્રાપ્ત થાય છે.

ઉપર દર્શાવેલ પરિવર્તનની અસર હેઠળ ગ્લાયકોજનનું વિઘટન વેગીલું બને છે, જ્યારે ગ્લાયકોજન – સિંથેટેઝ ઉત્સેચક નિષ્ક્રિય બને છે; તેથી ગ્લાયકોજનની નિર્માણ પ્રક્રિયા અટકી જાય છે.

યોગેશ ડબગર