ગુરુત્વ-અસ્વાભાવિકતા : પૃથ્વીની ગુરુત્વમોજણી દરમિયાન નોંધવામાં આવતી એક ઘટના. પૃથ્વીના પોપડાનો મોટો ભાગ સમતુલા ધરાવે છે. છતાં પણ તેનો 3 ટકા ભાગ સમતુલાની સ્થિતિમાં નથી. પૃથ્વીના કોઈ પણ ભાગની ગુરુત્વમાપણીની ગણતરી સૈદ્ધાંતિક ગણતરી કરતાં વધારે કે ઓછી હોય ત્યારે તેને ગુરુત્વ-અસ્વાભાવિકતા કહેવામાં આવે છે. ગુરુત્વમાપણીની ગણતરી સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધારે હોય તો તે +ve ગુરુત્વ-અસ્વાભાવિકતા કહેવાય છે; પરંતુ ગુરુત્વમાપણીની ગણતરી સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં ઓછી હોય તો તે  -ve ગુરુત્વ-અસ્વાભાવિકતા તરીકે ઓળખાય છે. ગુરુત્વ-અસ્વાભાવિકતા મિલિગલ એકમમાં દર્શાવાય છે. +ve ગુરુત્વ-અસ્વાભાવિકતા જ્વાળામુખી વિસ્તારોમાં અને -ve ગુરુત્વ-અસ્વાભાવિકતા પર્વતીય પ્રદેશોમાં પ્રવર્તે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે