કુસાયર અમ્રામહેલ (ઈ. સ. 712-715) : સિરિયાના ઉમાયદ કાળની સારી હાલતમાં ટકી રહેલી મહત્વની ઇમારતોમાંની એક. વિચરતા ખલીફાઓ એમાં પડાવ નાખતા. સિરિયાઈ શૈલીમાં બાંધવામાં આવેલા આ મહેલની વિશાળ ખંડની છત કમાનવાળી છે. એની છત પર પશુદોડ, નર્તિકાઓ અને વિવિધ નક્ષત્રો વગેરેનાં ચિત્રો છે. આ ભીંતચિત્રોનો અભ્યાસ કરતાં ઉમાયદકળા પર ગ્રીકકળાનો પ્રભાવ દેખાઈ આવે છે.

મન્વિતા બારાડી