કુમ્ભપંચારમ્ : દક્ષિણ ભારતનાં મંદિરોના સ્થાપત્યમાં ઉપયોગમાં લેવાયેલા વિશિષ્ટ સ્તંભો. અત્યંત કૌશલપૂર્ણ શિલ્પ-સ્થાપત્યના મિશ્ર સ્વરૂપે તેમની રચના કરવામાં આવતી. આ રચનાઓ દ્વારા ઘણી વખત દાતાઓનાં શિલ્પ અને ઘણી વખત પ્રાણીઓનાં આકૃતિ દર્શાવતાં શિલ્પોનું સ્તંભની સાથે આયોજન કરીને આધાર આપતા ઇમારતી ભાગને વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવતું. આ જાતના સ્તંભોને કુમ્ભપંચારમ્ કહેવામાં આવતા. તે આશરે સોળમી સદીમાં પ્રચલિત હતા. આ જાતના સ્તંભોનો ઉપયોગ ખાસ કરીને મંદિરોની સાથે સંલગ્ન મંડપોમાં થયો છે.

રવીન્દ્ર વસાવડા