એરંડ તૈલ : એરંડિયું મધુર, સારક, ગરમ, ભારે, રુચિકર, સ્નિગ્ધ અને કડવું છે; તે બદ, ઉદરરોગ, ગોળો, વાયુ, કફ, સોજો, વિષમજ્વર અને કમર, પીઠ, પેટ અને ગુદાના શૂળનો નાશ કરે છે. રેચ માટે સૂંઠના ઉકાળામાં 2 તોલા જેટલું એરંડિયું પીવા આપવામાં આવે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા