Religious mythology

ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી)

ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી) (જ. 1528) : રાધાવલ્લભ સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ. નાભાજી ‘ભક્તમાલ’ અને ધ્રુવદાસરચિત ‘ભક્ત નામાવલી’માં તેમનું ચરિત વર્ણવાયું છે. તે પરથી જણાય છે કે આ કવિ જબલપુરની નિકટના ગઢા ગામના વતની હતા. તેમના રચેલા બાર ગ્રંથો ઉપલબ્ધ છે, જે ‘દ્વાદશ યશ’ને નામે પ્રખ્યાત થયા છે. આ બાર ગ્રંથો અલગ અલગ…

વધુ વાંચો >

ચતુર્વેદી, પરશુરામ

ચતુર્વેદી, પરશુરામ (જ. 25 જુલાઈ 1894, જવહી ગાંવ, જિ. બલિયા, ઉ. પ્ર.) : સંત-સાહિત્ય અને ઉત્તર ભારતની સંત પરંપરાના મૂર્ધન્ય વિદ્વાન, આલોચક અને વૈજ્ઞાનિક સમીક્ષા-પદ્ધતિના પ્રયોજક. પિતાનું નામ રામછબીલે ચતુર્વેદી. બચપણથી જ પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. બલિયામાં મામાને ત્યાં રહી અંગ્રેજી શિક્ષણ લીધું અને 1914માં મૅટ્રિક પાસ થયા. પછીના શિક્ષણ…

વધુ વાંચો >

ચરણદાસ

ચરણદાસ (જ. 1703, ડેહરા, રાજસ્થાન; અ. 1782) : વૈષ્ણવ સંત કવિ. નામ રણજિતસિંહ. તે વૈશ્ય હતા. કેટલાક તેમને બ્રાહ્મણ કહે છે. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યવૃત્તિ હતી. 19 વર્ષની યુવાવસ્થામાં તેમણે શુકદેવ ગુરુ પાસેથી શબ્દમાર્ગની દીક્ષા લીધી. શુકદેવ ગુરુ ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર પાસેના હતા. દીક્ષા પછી રણજિતસિંહનું નામ ચરણદાસ રખાયું. ચરણદાસની સાધનામાં…

વધુ વાંચો >

ચર્પટીનાથ

ચર્પટીનાથ (11મી સદી) : ચોરાસી સિદ્ધોની સૂચિ પૈકીના 31મા અથવા 59મા સિદ્ધ. ગોરખનાથ પછી અને નાગાર્જુનના સમકાલીન ચર્પટીનાથ ચંબ રાજ્યના રાજપરિવાર સાથે સંકળાયેલા હતા. ચર્પટીનાથની કોઈ સ્વતંત્ર રચના મળતી નથી. જોકે તિબેટી ભાષામાં લખાયેલી કૃતિ ‘ચતુર્ભવાભિશન’ એમણે રચ્યાનું કહેવાય છે. સિદ્ધોકી બાનિયાંમાં એમની 59 ‘સબદિયાં’ અને પાંચ ‘સલોક’ સંકલિત થયા…

વધુ વાંચો >

ચર્યાગીત

ચર્યાગીત : બૌદ્ધ સાહિત્ય અનુસાર ચર્યા એટલે ચરિત કે દૈનંદિન કાર્યક્રમનું પદ્યમય નિરૂપણ. રાહુલ સાંકૃત્યાયને રચેલ ‘બુદ્ધચર્યા’ પ્રખ્યાત છે અને બૌદ્ધો માટે એ ચર્યા આદર્શરૂપ બની છે. સિદ્ધ અને નાથ પરંપરામાં સંગીતનો પ્રભાવ વધતા ત્યાં ગાયનનો પ્રયોગ સાધનાની અભિવ્યક્તિ માટે થવા લાગ્યો તો બોધિચિત્ત અર્થાત્ ચિત્તની જાગ્રત અવસ્થાનાં ગીતોને ‘ચર્યાગીત’ની…

વધુ વાંચો >

ચંદ્રકાન્ત

ચંદ્રકાન્ત (1891) : વાર્તારૂપે સરળ અને રસપ્રદ ર્દષ્ટાન્તો દ્વારા વેદાન્ત તત્વજ્ઞાનની સમજૂતી આપતો હિંદુ ધર્મનો બૃહદ્ ગ્રંથ. કર્તા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). આ ગ્રંથના ત્રણ ભાગ છે. સમગ્ર વિષયનું વિભાજન નીચે મુજબ સાત પ્રવાહમાં કરવામાં આવ્યું છે : (1) પુરુષાર્થ : તેમાં સમયે સમયે ઊઠતા તરંગી સંશયોનું નિરાકરણ ગુરુશિષ્યસંવાદ રૂપે…

વધુ વાંચો >

ચંદ્રપૂજા

ચંદ્રપૂજા : આકાશી ગ્રહ ચંદ્રને પૂજવાની વેદકાળથી પ્રચલિત પરંપરા. ‘ચંદ્ર’ શબ્દ સામાન્ય રીતે કોઈ પણ ઉપગ્રહ માટે વપરાતો હોવા છતાં તે પૃથ્વીના ઉપગ્રહ માટે વિશેષ જાણીતો છે. moon (અંગ્રેજી), luna (લૅટિન), mond (જર્મન), चन्द्रमा: (સંસ્કૃત) વગેરે શબ્દો ‘પ્રકાશવું, માપવું’ અર્થચ્છાયા ધરાવે છે. ‘અમરકોષ’માં મળતા પર્યાયો શીતલતા, આહ્લાદકતા, અમૃત સમ પોષકતા,…

વધુ વાંચો >

ચંદ્રપ્રભ

ચંદ્રપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના આઠમા તીર્થંકર. તે અત્યંત પ્રાચીનકાળમાં થઈ ગયા. ભારતક્ષેત્રના ચન્દ્રપુરી નગરીના ઇક્ષ્વાકુવંશીય રાજા મહાસેનના તે પુત્ર. તેમનાં માતાનું નામ લક્ષ્મણા કે લક્ષણા હતું. જૈન શાસ્ત્રો મુજબ વૈજયન્ત નામક દેવવિમાન(સ્વર્ગ)માંથી ચૈત્ર વદ પંચમીના દિને ચ્યવિત થઈ તે માતા લક્ષ્મણાની કુક્ષિમાં આવ્યા હતા અને પોષ વદ બારસના…

વધુ વાંચો >

ચંદ્રસૂરિ

ચંદ્રસૂરિ (ઈ. સ. 1137માં હયાત) : જૈન મુનિ. આચાર્ય ચંદ્રસૂરિ મલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર શિષ્ય હતા. એક વાર આ ચંદ્રસૂરિ વિહાર કરતા ધોળકા આવ્યા ત્યારે ત્યાંના ધવલ નામના શ્રેષ્ઠીએ તેમને ‘મુનિસુવ્રતચરિત’ રચવા વિનંતી કરી. તેથી આશાવલ્લીપુરી-(આશાવળ)માં નાગિલ શ્રેષ્ઠીના પુત્રોના ઘેર રહીને 1137માં એમણે 11,000 શ્લોકોનું ‘મુનિસુવ્રતચરિત’ લખ્યું. આ ગ્રંથના અંતમાં એમણે…

વધુ વાંચો >

ચંદ્રાવલી

ચંદ્રાવલી : રાધાની મુખ્ય અને અભિન્ન સખી. કૃષ્ણભક્તિ અને કૃષ્ણકાવ્યમાં તેને રાધાની પરમ સખી તરીકે અનુપમ પ્રસિદ્ધિ મળી છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મપુરાણ(પાતાલ ખંડ)માં એનું રાધાની સખી તરીકે વર્ણન મળે છે. રૂપ ગોસ્વામીરચિત ‘ભક્તિરસામૃત-સિંધુ’માં એનો વિશેષ પરિચય મળે છે. ચંદ્રાવલી રાજા ચંદ્રભાનુની કન્યા હતી. તેના પતિનું નામ ગોવર્ધનમલ્લ અને સાસુનું…

વધુ વાંચો >