History of India
સાંચીનો સ્તૂપ
સાંચીનો સ્તૂપ : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. મધ્યપ્રદેશમાં વિદિશા અર્થાત્ વર્તમાન ભીલસાથી સાડાપાંચ માઈલ દૂર સાંચીનું સ્થળ આવેલું છે. આ સ્થળે મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી સૌથી મોટો સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટેરી હતો અને…
વધુ વાંચો >સાંથાલ
સાંથાલ : આદિવાસીઓની એક જાતિ. દેશમાં વસ્તીગણતરી પ્રમાણે આદિવાસીઓમાં ત્રીજા ક્રમે આવતી સાંથાલ જાતિ તેમની દંતકથા અનુસાર મૂળ મુંડા જાતિમાંથી આવી છે. તેઓ મૂળે ‘હોર, હો, હોરો’ કહેવાતા, જેનો અર્થ ‘માણસ’ થાય છે. તેમના પૂર્વજો ‘ખારવાર’ એટલે યુદ્ધ કરનારા-લડવૈયા-ક્ષત્રિય ગણાતા. તેમણે અનેક સ્થળાંતરો કર્યાં છે. તેમનું મૂળ વતન મધ્ય પ્રદેશનું…
વધુ વાંચો >સિકંદરાબાદ
સિકંદરાબાદ : જુઓ હૈદરાબાદ.
વધુ વાંચો >સિક્કાશાસ્ત્ર (ભારતીય)
સિક્કાશાસ્ત્ર (ભારતીય) સિક્કાના અભ્યાસ અને ઓળખ અંગેનું શાસ્ત્ર. રોજિંદા વ્યવહારમાં ડગલે ને પગલે વિનિમય-માધ્યમ તરીકે વપરાતો સિક્કો સહુને સુપરિચિત છે. ભારતમાં એને માટે સંસ્કૃતમાં શરૂઆતમાં ‘રૂપ’ અને આગળ જતાં ‘મુદ્રા’ શબ્દ પ્રયોજાતો. લેખ (લેખન), રૂપ (મુદ્રા) અને ગણના (હિસાબ) – એ બુનિયાદી શિક્ષણના મુખ્ય વિષય ગણાતા. હાલ ‘રૂપ’ કે ‘મુદ્રા’ને…
વધુ વાંચો >સિદ્દીકી ઇખ્તિયારખાન
સિદ્દીકી, ઇખ્તિયારખાન : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1527-1536)ના મુખ્ય અમીરોમાંનો એક. સુલતાન બહાદુરશાહે ચિતોડ જીત્યા પછી ઈ. સ. 1535માં એને મુઘલ સમ્રાટ હુમાયૂં સાથે મંદસોર પાસે જે લડાઈ થઈ એમાં બહાદુરશાહનો પરાજય થયો. તેથી તે માંડુથી કેટલાંક સ્થળોએ જઈને ચાંપાનેર આવ્યો. હુમાયૂં પણ તેનો પીછો કરતો ચાંપાનેર સુધી આવ્યો. એટલે બહાદુરશાહે ચાંપાનેરના…
વધુ વાંચો >સિયુકી
સિયુકી : પ્રાચીન ભારતના સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાલ (ઈ. સ. 606થી 647) દરમિયાન ચીની યાત્રી હ્યુ-એન-સંગે ભારતની મુલાકાત લઈને લખેલું, તેના પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક. હ્યુ-એન-સંગનું આ પુસ્તક ઘણું અગત્યનું છે. ‘સિયુકી’માંથી સમ્રાટ હર્ષના સમયના ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિની વિસ્તૃત તથા આધારભૂત માહિતી મળે છે. હ્યુ-એન-સંગનો જન્મ ચીનના…
વધુ વાંચો >સિરાજુદ્દૌલા
સિરાજુદ્દૌલા (જ. આશરે 1729; અ. 2/3 જુલાઈ 1757) : બંગાળનો નવાબ. બંગાળના નવાબ (સૂબેદાર) અલીવર્દીખાનના મૃત્યુ બાદ તેનો દૌહિત્ર સિરાજુદ્દૌલા એપ્રિલ, 1756માં નવાબ બન્યો. તેના મુખ્ય હરીફ, તેની માસીના દીકરા શોકતજંગને હરાવીને તેણે મારી નાખ્યો. તેના સમયમાં અંગ્રેજોએ તેમના રક્ષણ માટે કાયદા વિરુદ્ધ કિલ્લેબંધી કરી અને તેની પાસે મોટી ખાઈ…
વધુ વાંચો >સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000)
સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000) : પરમાર વંશનો માળવાનો રાજા. મુંજ પછી તેનો નાનો ભાઈ સિંધુરાજ ઉર્ફે સિંધુલ માળવાની ગાદીએ બેઠો. તેણે ‘કુમારનારાયણ’ તથા ‘નવસાહસાંક’ ખિતાબો ધારણ કર્યા હતા. કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા સત્યાશ્રયને તેણે પરાજય આપ્યો અને પરમારોએ ગુમાવેલાં રાજ્યો પોતાના અંકુશ હેઠળ લઈ લીધાં. સિંધુરાજે નાગવંશના રાજાને…
વધુ વાંચો >સિંહપુર
સિંહપુર : ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ વાળાક દેશની વિકટ ભૂમિમાં વસાવેલ બ્રાહ્મણોનો અગ્રહાર. ઈ. સ. 4થી સદીના ‘દીપવંશ’માં તથા છઠ્ઠી સદીના ‘મહાવંશ’માં સિંહપુરનો ઉલ્લેખ થયો છે. ‘સિંહપુર’ ક્યાં એ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. એમાંના એક અભિપ્રાય અનુસાર એ સિંહપુર સૌરાષ્ટ્રના પૂર્વપ્રદેશમાં આવેલું ‘સિહોર’ હોવું સંભવે છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું…
વધુ વાંચો >સિંહલ
સિંહલ : લાળ દેશનો રાજા. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત વર્ણવતા દીપવંસમાં જણાવ્યા મુજબ વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિંહબાહુ નામે પુત્ર અને સીવલી નામે પુત્રી જન્મ્યાં. સિંહબાહુ સોળ વર્ષનો થતાં સિંહની ગુફામાંથી નાસી ગયો. તેણે લાળ દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. મહાવંસમાં…
વધુ વાંચો >