હરીશ રઘુવંશી

જેસલ-તોરલ

જેસલ-તોરલ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. 1948માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા–સંવાદ–ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી…

વધુ વાંચો >

જોગીદાસ ખુમાણ

જોગીદાસ ખુમાણ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેની કથા એક શૂરવીર અને સંતની કથા છે. લોકપ્રસિદ્ધ કથાનક પર આધારિત ત્રણ ગુજરાતી ચિત્રપટો આ એક જ શીર્ષકથી અનુક્રમે 1948, 1962 અને 1975માં જુદી જુદી નિર્માણસંસ્થાઓ દ્વારા રજૂઆત પામ્યાં. 1948માં રૂપ-છાયા નિર્માણસંસ્થા દ્વારા નિર્મિત ચિત્રના નિર્માતા મનહર રસકપૂર અને મધુસૂદન, વાર્તા-સંવાદ કવિ ‘જામન’,…

વધુ વાંચો >

દવે, હંસા

દવે, હંસા (જ. 18 જાન્યુઆરી 1946, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ જિતેન્દ્રલાલ અને માતાનું નામ યમુનાબહેન. શૈશવમાં બાળમંદિરની પ્રાર્થનાથી એમની સંગીતયાત્રાનો આરંભ થયો. નાગર-પરિવારમાં ઉછેર હોવાને કારણે સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ ધરાવતાં આ ગાયિકાએ પદ્ધતિસરનો સંગીત-અભ્યાસ મોડો મોડો કર્યો. અમદાવાદની સુગમ સંગીતની જાણીતી સંસ્થા ‘શ્રુતિ’ના…

વધુ વાંચો >

પંડ્યા અરવિંદ

પંડ્યા, અરવિંદ (જ. 21 માર્ચ 1923, ભાદરણ; અ. 22 જુલાઈ 1980) : ગુજરાતી ચિત્રોના ચરિત્ર-અભિનેતા. બચપણથી સંગીત-અભિનયના સંસ્કાર પામેલા અરવિંદ પંડ્યા 1937માં મુંબઈ આવ્યા. દેવધર ક્લાસીઝમાં પ્રારંભિક સંગીત-શિક્ષણ લઈને પછી પંઢરીનાથ કોલ્હાપુરે પાસે સંગીતની તાલીમ મેળવી. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના એક સંગીતજલસામાં ફિલ્મી સંગીતકાર એસ. એન. ત્રિપાઠીએ તેમને સાંભળીને ‘માનસરોવર’(1946)માં પાર્શ્વગાયક…

વધુ વાંચો >

પાટેકર નાના

પાટેકર, નાના (જ. 1 જાન્યુઆરી 1951, મ્યૂરુન્ડ, જંજીર, મહારાષ્ટ્ર) : હિંદી ફિલ્મજગતમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અભિનેતા. મૂળ નામ વિશ્વનાથ. દેખાવડો ચહેરો કે ફિલ્મી પ્રતિભાવોનો વારસો ન હોવા છતાં પોતાના ધારદાર અભિનય, ઝડપી ગતિની સંવાદછટા, આવેશ અને આક્રોશપૂર્ણ અભિનેતાની છાપને કારણે ફિલ્મજગતમાં અગ્રણી અભિનેતાઓની હરોળમાં સ્થાન જમાવ્યું છે. શાળાકીય કારકિર્દીમાં મરાઠી…

વધુ વાંચો >

પારેખ આશા

પારેખ, આશા (જ. 2 ઑક્ટોબર 1942, મુંબઈ) : હિન્દી ચલચિત્રોમાં અભિનય કરતાં ગુજરાતી અભિનેત્રી. પિતા બચુભાઈને શાળાશિક્ષણની સાથે નૃત્ય અને અભિનયમાં પણ રસ હતો, તેથી નૃત્યશિક્ષણ લીધું. પ્રસિદ્ધ નૃત્યવિદ મોહનલાલ પાંડે તેમના નૃત્યગુરુ હતા. ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પરંતુ નૃત્ય-અભિનયની આવડતને કારણે અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યાં. 1954માં 12 વર્ષની વયે…

વધુ વાંચો >

પૃથિવીવલ્લભ (1921)

પૃથિવીવલ્લભ (1921) : કનૈયાલાલ મુનશીની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક નવલકથા તથા તેના કથાનકને આધારે થયેલાં નાટ્ય અને ચલચિત્ર-રૂપાંતરો. આ નવલકથા ગોદાવરી નદીના તટે વસેલાં બે રાજ્યો માલવા અને તૈલંગણના સંઘર્ષની કથા રજૂ કરે છે. અવંતિનરેશ ‘મુંજ’ વીર અને રસિક કવિ હતો. પ્રજા તેને ‘પૃથ્વીવલ્લભ’ તરીકે ઓળખતી. તૈલંગણનો રાજા તૈલપ મુંજની કીર્તિથી ઈર્ષાની…

વધુ વાંચો >

પેઇન્ટર, બાબુરાવ

પેઇન્ટર, બાબુરાવ (જ. 3 જૂન 1890, કોલ્હાપુર; અ. 16 જાન્યુઆરી 1954, કોલ્હાપુર) : હિંદી ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને છબીકાર. ભારતીય સિનેમાના ઇતિહાસમાં બાબુરાવ પેઇન્ટર ‘સિને કેસરી’ તરીકે જાણીતા હતા. તેમનું ખરું નામ બાબુરાવ કૃષ્ણરાવ મિસ્ત્રી હતું. કોલ્હાપુરમાં સ્થપતિ પિતાને ત્યાં જન્મ થયો હતો. બાબુરાવે બચપણથી મૂર્તિકલાનું જ્ઞાન મેળવ્યું. યુવાનવયે નાટકોના…

વધુ વાંચો >

પ્રાણ

પ્રાણ (જ. 12 ફેબ્રુઆરી 1920, દિલ્હી; અ. 12 જુલાઈ 2013) : હિંદી ફિલ્મના અભિનેતા. પૂરું નામ પ્રાણકિશન સિકંદ. અભિનયકલા પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતા પ્રાણની અભિનય-કારકિર્દી છ દાયકા જેટલી સુદીર્ઘ છે. લાહોરમાં છબિકાર તરીકે નોકરીનો આરંભ કરનાર પ્રાણનો સંપર્ક ભાગ્યવશાત્ સંવાદલેખક વલીસાહેબ સાથે થયો, જેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું;…

વધુ વાંચો >

ભવની ભવાઈ

ભવની ભવાઈ : નોંધપાત્ર ગુજરાતી ચલચિત્ર. સાડા છ દાયકાના ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘ભવની ભવાઈ’ વાસ્તવદર્શી અને કલાત્મક ચલચિત્ર તરીકે વિશિષ્ટ કક્ષાનું બની રહે છે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી. નિર્માતા પરેશ મહેતા અને દિગ્દર્શક કેતન મહેતાની આ ફિલ્મમાં…

વધુ વાંચો >