લલિતા મિરજકર

ગાડગીળ, ગંગાધર

ગાડગીળ, ગંગાધર (જ. 25 ઑગસ્ટ 1923, મુંબઈ; અ. 15 સપ્ટેમ્બર 2008) : મરાઠી લેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી, સિડનહૅમ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક નિયુક્ત થયા. કૉલેજમાં હતા ત્યારથી જ એમણે વાર્તાઓ લખવા માંડેલી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘માનસ ચિત્રે’ 1946માં પ્રગટ થયો. એ વાર્તાઓથી નવી દિશામાં વળાંક હતો…

વધુ વાંચો >

ગારંબીચા બાપુ

ગારંબીચા બાપુ (1952) : મરાઠી નવલકથા. લેખક શ્રીપાદ નારાયણ પેંડસે. આ નવલકથા કોંકણના એક ગામ ગારંબીના એક તેજસ્વી, સ્વાભિમાની, સમાજની કુરૂઢિ સામે વિદ્રોહ કરનાર, પ્રગતિશીલ યુવકની કથા છે. દરિદ્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો બાપુ પિતા અને માસી સિવાય આખા ગામનાં તિરસ્કાર અને ઉપેક્ષાને કારણે વિદ્રોહી સ્વભાવનો બને છે. એ કર્મઠ અને…

વધુ વાંચો >

ગોખલે, અરવિંદ

ગોખલે, અરવિંદ (જ. 19 ફેબ્રુઆરી 1919, ઇસ્લામપુર; અ. 24 ઑક્ટોબર 1992, પુણે) : મરાઠી નવલિકાલેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. દિલ્હીના ઇમ્પીરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સાઇકોજેનેટિક્સ વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા પછી એમ.એસસી. માટે ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ મેળવી. એ અમેરિકાની વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં ગયા. અમેરિકાથી આવી પુણેના કૃષિ-વિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા તથા ત્યાં 1943થી…

વધુ વાંચો >