મનોજ દરુ

રાવળ, છગનલાલ

રાવળ, છગનલાલ (જ. 12 માર્ચ 1859, લુણાવાડા; અ. 8 ઑગસ્ટ 1947) : પ્રાચીન ગુજરાતી કાવ્યોના સંશોધક અને સંગ્રાહક-સંપાદક તથા અનુવાદક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. લુણાવાડાના વતની. પિતા વિદ્યારામ. માતા ઝવેરબાઈ. 1881માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી તેઓ કેળવણી ખાતામાં જોડાયા અને 1915માં નિવૃત્ત થયા. તેમણે શિક્ષક…

વધુ વાંચો >

રાવળ, પ્રજારામ નરોત્તમ

રાવળ, પ્રજારામ નરોત્તમ (જ. 3 મે 1917, વઢવાણ; અ. 28 એપ્રિલ 1991, સુરેન્દ્રનગર) : ગુજરાતી કવિ, અનુવાદક, આયુર્વેદના અધ્યાપક અને ચિકિત્સક. પ્રાથમિક શિક્ષણ વતન વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની જ દાજીરાજ હાઇસ્કૂલમાં. ત્યાંથી મેટ્રિક થઈ 1941માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી પ્રથમ વર્ગ મેળવી સ્નાતક. પછી એક વર્ષ ઉમેદવાર…

વધુ વાંચો >

રાવળ, રવિશંકર મહાશંકર

રાવળ, રવિશંકર મહાશંકર (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ,…

વધુ વાંચો >

રાવળ, શંકરપ્રસાદ છગનલાલ

રાવળ, શંકરપ્રસાદ છગનલાલ (જ. 26 જાન્યુઆરી 1887, વડોદરા; અ. 24 એપ્રિલ 1957) : ગુજરાતી સાહિત્યના સંશોધક, સંપાદક, ચરિત્રકાર. વડોદરાના વતની. કુટુંબનો ધંધો ખેતીનો. એમની 9 વર્ષની વયે પિતાનું અવસાન થયું અને કુટુંબના નિર્વાહનો ભાર માતા જડાવબાઈને માથે રહ્યો. 5 વર્ષની ઉંમરે વડોદરામાં ગુજરાતી નિશાળમાં 3 ધોરણો પૂરાં કરી આગળ અભ્યાસ…

વધુ વાંચો >

વાંક, બહાદુરભાઈ જગાભાઈ

વાંક, બહાદુરભાઈ જગાભાઈ (જ. 13 મે 1937, જેતપુર, કાઠી, રાજકોટ) : ગુજરાતી વાર્તાકાર, ચિત્રકાર. મૂળ વતન ખારચિયા, વાંકના, જૂનાગઢ. હાલ નિવાસ જૂનાગઢમાં. પિતા સરકારી નોકરીમાં વહીવટદાર. આર્થિક વિષમ પરિસ્થિતિને કારણે શાળામાં મોડો પ્રવેશ. એસ. એસ. સી. 1958માં, સાહિત્યરત્ન (સંસ્કૃત). કુમાર-અવસ્થામાં સ્લેટ પર કે ધૂળ પર ચિત્રાંકનની રમતમાં ભાવિ સમર્થ ચિત્રકારનાં…

વધુ વાંચો >

વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન

વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન (જ. 23 જુલાઈ 1909, દ્વારકા; અ. ?) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર. તખલ્લુસ : ‘બિપિન વૈદ્ય’, ઈ. ન., બા. પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર. પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં. માધ્યમિક શિક્ષણ જેતપુરમાં. 19271930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કરેલો. પણ વચ્ચે એક વર્ષ…

વધુ વાંચો >

વૈદ્ય વિજયરાય કલ્યાણરાય

વૈદ્ય વિજયરાય કલ્યાણરાય (જ. 7 એપ્રિલ 1897, ભાવનગર; અ. 17 એપ્રિલ 1974, ભાવનગર) : ગુજરાતી સાહિત્યિક પત્રકાર, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, આત્મકથાકાર. વડનગરા નાગર ગૃહસ્થ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં. 1914માં મૅટ્રિક, પછી વિલ્સન કૉલેજમાંથી 1920માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ.. વચ્ચે 1916-1917 દરમિયાન અનારોગ્યને કારણે મુંબઈ…

વધુ વાંચો >

વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ

વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ (જ. 26 ફેબ્રુઆરી 1863, પોરબંદર; અ. 11 ડિસેમ્બર 1940, મુંબઈ) : ગુજરાતી વિવેચક, તત્ત્વચિંતક, ધારાશાસ્ત્રી, ચરિત્રલેખક. પ્રશ્ર્નોરા નાગર બ્રાહ્મણ. એમના પૂર્વજોની અટક વ્યાસ. પરંપરાગત વૈદ્યવિદ્યાનો વારસો ઊતરી આવેલો. પિતા પ્રભુરામ પ્રતિષ્ઠિત વૈદ્ય. વિશ્વનાથની પ્રાથમિક કેળવણી પોરબંદરમાં. 1870માં પિતાએ મુંબઈમાં સ્થાયી થઈ વૈદું આરંભ્યું; તેથી વિશ્વનાથની માધ્યમિક અને…

વધુ વાંચો >

સંજાણા(ના) જહાંગીર એદલજી

સંજાણા(ના) જહાંગીર એદલજી (જ. 14 મે 1880, અકોલા; અ. 17 જાન્યુઆરી 1964, ?) : ગુજરાતી વિવેચક, જરથોસ્તી ધર્મજ્ઞ. તખલ્લુસ ‘અનાર્ય’, ‘પયકાર’, ‘તિરોહિત’. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મરાઠીમાં. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.. ત્યાં જ આરંભમાં ફેલો નિમાયા; પછી મુંબઈ સરકારના ઓરીએન્ટલ ટ્રાન્સલેટરના ખાતામાં પ્રથમ મદદનીશ અને ત્યારબાદ ખાતાના…

વધુ વાંચો >

સોપાન

સોપાન (જ. 14 જાન્યુઆરી 1910, ચકમપર, તા. મોરબી; અ. 23 એપ્રિલ 1986, વડોદરા) : ગુજરાતી વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર, સમાજહિતચિંતક, રાજકારણ-વિશ્ર્લેષક, સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ મોહનલાલ તુલસીદાસ મહેતા. અન્ય તખલ્લુસ ‘શ્રી’. વતન મોરબી. જ્ઞાતિએ દશા શ્રીમાળી જૈન વણિક. બાળકો જીવતાં નહિ એ વહેમે નાનપણમાં એમનું નામ ગાંડાલાલ પાડેલું. એમની સાત વર્ષની ઉંમરે…

વધુ વાંચો >