પૂરવી ઝવેરી
શાહી, વિજય નંદન
શાહી, વિજય નંદન (ડૉ.) (જ. 18 જાન્યુઆરી 1942) : અગ્રણી કાર્ડિયોલૉજિસ્ટ. જેમણે નૈદાનિક તથા નિવારક કાર્ડિયોલૉજી તેમજ ઍડવાન્સ્ડ કાર્ડિયાક પેસિંગમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે. તેઓ રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલના નિદેશક તથા સશસ્ત્ર સેના ચિકિત્સા સેવાના મહાનિદેશક તથા મુખ્ય કન્સલ્ટન્ટનાં ગૌરવશાળી પદો પર કાર્ય કરી ચૂક્યા છે. તેઓએ રક્ષા મંત્રાલયમાં એમરિટ્સ…
વધુ વાંચો >શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.)
શેટ્ટી, દેવી પ્રસાદ (ડૉ.) (જ. 8 મે 1953, મૅંગાલુરુ, કર્ણાટક, ભારત) : જાણીતા હૃદયવિજ્ઞાની, અને નારાયણ હૃદયાલય, બૅંગાલુરુના અધ્યક્ષ. તેઓએ કસ્તુરબા મેડિકલ કૉલેજ, મૅંગાલુરુમાંથી એમ.બી.બી.એસ. તથા એમ.એસ.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓએ વાલ્સગ્રેવ હૉસ્પિટલ, કન્વેન્ટરી તથા ઈસ્ટ બર્મિંગહામ હૉસ્પિટલ, બર્મિંગહામ તથા ગાય્ઝ હૉસ્પિટલ (Guy’s Hospital) લંડનમાં હૃદયસંબંધી શલ્યક્રિયા(surgery)માં ગહન પ્રશિક્ષણ…
વધુ વાંચો >શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.)
શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.) (જ. 24 ફેબ્રુઆરી 1967, મિસુલા, મૉન્ટાના, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઑલ પર્લમટર તથા આદમ રિઝ વચ્ચે વિભાજિત થયો હતો. બ્રાયન શ્મિટનો…
વધુ વાંચો >સક્સેના, રાજન
સક્સેના, રાજન (ડૉ.) (જ. 1 માર્ચ 1959) : વિખ્યાત ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ. તેઓએ 1980માં રાજકીય મેડિકલ કૉલેજ, પટિયાલાથી એમ.બી.બી.એસ. અને 1984માં પી. જી. આઈ. ચંડીગઢથી એમ.એસ.ની પદવી મેળવી. ત્યારબાદ 1988માં તેઓ સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાન (એસ.જી.પી.જી.આઈ.એમ.એસ.) લખનઉ ગયા અને સર્જિકલ ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજી વિભાગની સ્થાપના કરી. તેઓએ 1993 અને 1998 દરમિયાન એડનબ્રૂક્સ હૉસ્પિટલ,…
વધુ વાંચો >સામા, સુરેન્દ્ર કુમાર
સામા, સુરેન્દ્ર કુમાર (ડૉ.) (જ. 31 મે 1934; અ. 2017) : પ્રખ્યાત ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ. તેઓ સર ગંગારામ હૉસ્પિટલના પ્રબંધન મંડળ(management)ના અધ્યક્ષ હતા. તેમણે અમૃતસરથી મેડિસિનમાં સ્નાતક અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)માંથી 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે જી.બી.પી. હૉસ્પિટલ અને એઇમ્સની ફૅકલ્ટીમાં 1974 સુધી કામ કરેલું. તેમણે યકૃતની બીમારીઓ પર…
વધુ વાંચો >સિન્હા, ગોપાલ પ્રસાદ
સિન્હા, ગોપાલ પ્રસાદ (ડૉ.) (જ. 25 માર્ચ 1943, પટણા, બિહાર, ભારત) : પ્રખ્યાત ચિકિત્સક અને ન્યુરોલૉજિસ્ટ. તેઓ પટના મેડિકલ કૉલેજના મેડિસિન અને ન્યુરોલૉજી વિભાગના ભૂતપૂર્વ વિભાગ-અધ્યક્ષ છે. તેમણે 1965માં પટના મેડિકલ કૉલેજમાંથી સ્નાતક અને 1968માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેઓએ વિયેના, ઑસ્ટ્રિયા તથા ઇંગ્લૅન્ડમાંથી ન્યુરોલૉજીમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમને 1990માં…
વધુ વાંચો >સિરોહી, રાજપાલ સિંહ
સિરોહી, રાજપાલ સિંહ (જ. 7 એપ્રિલ 1943) : આંતરરાષ્ટ્રીય ઑપ્ટિકલ સાયન્ટિસ્ટ તથા ટૅકનૉલૉજિસ્ટ. તેઓ આઈ.આઈ.ટી. દિલ્હીના નિર્દેશક હતા. તેમણે 1964માં આગરા વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકોત્તર તથા ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, દિલ્હીમાંથી ઍપ્લાઇડ ઑપ્ટિક્સમાં પોસ્ટ-એમ.એસસી. તેમજ ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, મદ્રાસ(ચેન્નાઈ)ના મિકૅનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં 1971-1979 સુધી આસિસ્ટંટ પ્રોફેસર…
વધુ વાંચો >સિંહ, લાલજી
સિંહ, લાલજી (ડૉ.) (જ. 5 જુલાઈ 1947, જૌનપુર, ભારત; અ. 10 ડિસેમ્બર 2017, વારાણસી, ઉત્તરપ્રદેશ, ભારત) : સેન્ટર ફોર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયૉલૉજી, હૈદરાબાદના નિર્દેશક. તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીથી એમ.એસસી. તથા પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ લિંગ-નિર્ધારણ કે અણુ-જૈવિક આધાર, ડી.એન.એ. અંગુલિછાપ (finger-print), માનવપ્રકૃતિ વિશ્લેષણ, વન્યજીવ ન્યાયિક વિજ્ઞાન અને…
વધુ વાંચો >સીગમાન, કેઇ માન બૉર્જ
સીગમાન, કેઇ માન બૉર્જ (Siegbahn, Kai Manne Borje) (જ. 20 એપ્રિલ, 1918 લૂન્ડ, સ્વીડન અ. 20 જુલાઈ, 2007 એન્જલહોમ, સ્વીડન) : ફોટો ઇલેક્ટ્રૉન સ્પેક્ટ્રોસ્કોપીની પદ્ધતિ વિકસાવવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને આર્થર લિયૉનાર્દ સ્કાઉલો વચ્ચે વિભાજિત થયો હતો. સીગમાને 1944માં યુનિવર્સિટી…
વધુ વાંચો >સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ
સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ (Schawlow, Arthur Leonard) (જ. 5 મે, 1921, માઉન્ટ વર્નોન, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 28 એપ્રિલ, 1999, પાલો આલ્ટો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લેસરના ઉપયોગથી પરમાણુના ઊર્જા સ્તરોનું અત્યંત ચોક્સાઈપૂર્વક માપન કરવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને સિગમાન કેઈ માન બૉર્જ…
વધુ વાંચો >