દશરથલાલ ગૌરીશંકર વેદિયા
સોમસિદ્ધાંત
સોમસિદ્ધાંત : પ્રભાસપાટણમાં સોમશર્માએ પુનર્જીવિત કરેલી શૈવધર્મની એક શાખા. પુરાણોમાં સોમશર્મા રુદ્ર–શિવના સત્તાવીસમા અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઉલ્લેખાયા છે. કાલગણનાની દૃષ્ટિએ લકુલીશ(લગુડીશ)ના પિતામહ સોમશર્મા અને સોમસિદ્ધાંતના પ્રસારક સોમેશ્વર એક હોવાની સંભાવના છે. કુમારપાળના વલભી(સં. 850 : ઈ. સ. 1169)ના પ્રભાસપાટણના, ભીમદેવ બીજાના વેરાવળના અને વિષ્ણુગુપ્તના ચંદ્રેશ્વર(નેપાળ)ના શિલાલેખોમાં આ સંપ્રદાયનો…
વધુ વાંચો >સ્કન્દપુરાણ
સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે. સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે;…
વધુ વાંચો >સ્મૃતિ–2
સ્મૃતિ–2 : અનુભૂત વિષયનું કે અનુભવજન્ય જ્ઞાનને અનુલક્ષતું, શ્રુતિને અનુસરતું આચારલક્ષી શાસ્ત્ર. યોગશાસ્ત્ર સ્મૃતિને અનુભવજન્ય જ્ઞાન કહે છે. (‘अनुभवजन्यं ज्ञानं तु स्मृति’:). ઋષિઓ સાક્ષાત્કૃતધર્મા હતા. તેમણે તેમનાથી ઊતરતા–અનુભવવિહોણાને અનુભૂત જ્ઞાન આપ્યું. [‘साक्षात्कृतधर्माण: ऋषय: संबभूवु: । तेडवरेभ्य असाक्षात्कृतधर्मेभ्य: उपदेशेन मन्वान् संप्रादु:’ (યાસ્ક નિરુક્ત 1–53)] આમ વેદ, શ્રુતિ અને ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથો કહેવાયા…
વધુ વાંચો >સ્વપ્નવિદ્યા
સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…
વધુ વાંચો >સ્વરોદયશાસ્ત્ર
સ્વરોદયશાસ્ત્ર : સ્વરોદય એટલે સ્વરના ઉદય નિમિત્તનું અર્થઘટન કરતું શાસ્ત્ર. નિમિત્તશાસ્ત્રને અષ્ટાંગ નિમિત્ત કહેવામાં આવે છે. પરિપાટી મુજબ નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગ છે – (1) અંગવિદ્યા, (2) સ્વપ્નશાસ્ત્ર, (3) સ્વરશાસ્ત્ર, (4) ભૌમશાસ્ત્ર, (5) વ્યંજન, (6) લક્ષણ, (7) ઉત્પાત અને (8) અંતરિક્ષ. अंगं स्वप्न: स्वरश्चैव भौमे व्यंजनलक्षणे । उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टधा…
વધુ વાંચો >સ્વર્ગ
સ્વર્ગ : હિંદુ ધર્મ અનુસાર પુણ્યશાળીઓને માટે પરલોકમાં ભોગોપભોગ માટેનું સુખધામ. કર્મ અને પુનર્જન્મના સનાતન ધર્મના સિદ્ધાંત અનુસાર પુણ્યકર્મોનું ફળ પરલોકમાં સુખ રૂપે અને પાપકર્મોનું ફળ પરલોકમાં નરકનાં દુ:ખ રૂપે મળે છે. જે દેવને ઇષ્ટ દેવ ગણી આરાધ્યા હોય અને પુણ્યકર્મો કર્યાં હોય તદનુસાર તે દેવના લોકમાં સ્થાન પામી સુખોપભોગ…
વધુ વાંચો >સ્વસ્તિક
સ્વસ્તિક : એક માંગલિક ચિહ્ન. ‘સ્વસ્તિક’ શબ્દ सु + उस् ઉપરથી નિષ્પન્ન થયો છે. सु = શુભ, મંગલપ્રદ; उस् = હોવું. अस्ति = સત્તા, અસ્તિત્વ; ‘સ્વસ્તિક’ એટલે કલ્યાણકારી સત્તા. स्वस्ति = કલ્યાણ હો તેવી ભાવના. આ માંગલિક ચિહન પ્રસન્નતાનું દ્યોતક છે. પ્રાચીન ભારતીયોનું મંગળ પ્રતીક છે. તેની ચાર ભુજાઓ ચાર…
વધુ વાંચો >સ્વામિનારાયણ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય : હિન્દુ ધર્મની વૈષ્ણવ ધર્મની એક શાખા. તે કરોડો ભારતવાસીઓની સંસ્કારસભર જીવનરીતિ છે. એકાધિક સંપ્રદાયોથી જમાને જમાને હિન્દુ ધર્મ અને એના સનાતનધર્મી જીવનના આચારવિચાર પરિષ્કૃત અને સંવર્ધિત થતા રહ્યા છે. હિન્દુ ધર્મ પ્રમાણે તો ધર્માચાર એ જ જીવનાચાર છે. સ્વામિનારાયણ જેવા સંપ્રદાયો પણ અભિનવ સ્વરૂપે આ જ વાત…
વધુ વાંચો >સ્વામી વિરજાનંદ
સ્વામી વિરજાનંદ (જ. 1778; અ. 14 સપ્ટેમ્બર 1868) : મથુરાના નેત્રહીન સંત. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના સુપ્રસિદ્ધ ગુરુ સ્વામી વિરજાનંદનો જન્મ જાલંધર પાસેના ગંગાપુર નામના ગામમાં એક ભારદ્વાજ ગોત્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1778માં થયો હતો. તેમનું નામ વ્રજલાલ હતું. તેમને ધર્મચંદ નામે ભાઈ હતો. પાંચ વર્ષની વયે…
વધુ વાંચો >હસ્તરેખાશાસ્ત્ર
હસ્તરેખાશાસ્ત્ર હાથની રેખાઓ અને રચનાના આધારે વ્યક્તિ અને તેના ભવિષ્યને જાણવાનું શાસ્ત્ર – સામુદ્રિકશાસ્ત્ર. સૂર્યના પ્રકાશમાં હાથની બારીક રેખાઓ બરાબર નિહાળી શકાય તે હેતુથી દિવસે જ હાથ જોવાની પરંપરા છે. વળી સવારે પ્રફુલ્લિત હોવાથી રેખાઓ વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. હાથ જોવા માટે સવારનો સમય વધુ સારો મનાય છે. એક…
વધુ વાંચો >