કાયદાશાસ્ત્ર

કંપનીનો કાયદો

કંપનીનો કાયદો : અનેક વ્યક્તિઓના સાથ અને સહકારથી તેમજ સમાન હેતુ માટે મંડળની રચના અને તેનું સંચાલન કરવા માટેનો કાયદો. ભારતમાં કંપનીની શરૂઆત બહુ જ અપૂર્ણ અવસ્થામાં 1600માં બ્રિટિશ સરકારે ખાસ સનદ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, ત્યારથી થઈ ગણાય; જોકે હાલમાં પ્રવર્તતી કંપનીઓની શરૂઆત 1866ના કંપની ધારાથી થઈ.…

વધુ વાંચો >

કંપની-વેરા

કંપની-વેરા : કંપનીઓના ચોખ્ખા નફા પર આકારવામાં આવતો આવકવેરો. ભારતમાં સૌપ્રથમ 1857ના બળવાની અસરને કારણે બ્રિટિશ સરકારની નાણાકીય જરૂરિયાતોને અનુલક્ષીને 1860માં વધુ આવક મેળવવાના હેતુથી આવકવેરો દાખલ કરવામાં આવ્યો હતો. 1867માં લાઇસન્સ-ટૅક્સ તરીકે અને 1868માં સર્ટિફિકેટ-ટૅક્સ તરીકે તે અમલમાં આવ્યો, પરંતુ હવે તે કેન્દ્ર-સરકારની આવકનું કાયમી સાધન બન્યો છે અને…

વધુ વાંચો >

કાઝી મુહિબ્બુલ્લા બિહારી

કાઝી મુહિબ્બુલ્લા બિહારી : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં લખનૌ અને હૈદરાબાદ(દક્ષિણ)ના કાઝી. તે પટના(બિહાર)ના વતની હતા. તેમણે પોતાના સમયના પંડિતો પાસેથી ઇસ્લામી કાયદાશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. ઔરંગઝેબે તેમને પોતાના પૌત્ર રફીઉલકદર બિન શાહઆલમના શિક્ષક બનાવ્યા હતા. શાહઆલમના કાળમાં તેમને મુખ્ય ન્યાયાધીશના પદે નિયુક્ત કરાયા હતા અને ‘ફાઝિલખાન’ ખિતાબથી નવાજવામાં આવ્યા…

વધુ વાંચો >

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’)

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’) (જ. 7 મે 1880, પોધેમ; અ. 18 એપ્રિલ 1972) : અગ્રણી પ્રાચ્યવિદ્યાવિશારદ અને સમર્થ કાયદાવિદ. અન્નાસાહેબ કાણે તરીકે ઓળખાતા. રત્નાગિરિ જિલ્લાના ચિપ્પુણ તાલુકાના પોધેમ (પરશુરામ) ગામમાં સામાન્ય મધ્યમ વર્ગના કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ત્રણ બહેનો અને છ ભાઈઓમાં તે બીજા હતા. પત્નીનું નામ સુભદ્રા. તેમણે દાપોલીમાંથી…

વધુ વાંચો >

કાત્જુ, કૈલાસનાથ

કાત્જુ, કૈલાસનાથ (જ. 1887, જાવરા; અ. 1968) : અગ્રગણ્ય કાયદાશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. હાલના મધ્યપ્રદેશના માળવા પ્રદેશમાં સ્થાયી થયેલા મધ્યમ વર્ગના કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. 1905માં લાહોર યુનિવર્સિટીની વિનયનની પદવી મેળવી. 1906માં મૂર સેન્ટ્રલ કૉલેજમાંથી તેમણે વકીલની સનદી પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી તેમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ઉત્તરોત્તર અભ્યાસ કરીને…

વધુ વાંચો >

કામદાર રાજ્ય વીમાયોજના

કામદાર રાજ્ય વીમાયોજના (Employees’ State Insurance Scheme, ESIS) : કામદારોને તથા તેમના કુટુંબને તબીબી સારવાર તથા નાણાકીય વળતર આપવાની સામાજિક સુરક્ષાલક્ષી વીમાયોજના, જે ભારત સરકારના કામદાર રાજ્ય વીમાના કાયદા (1948) દ્વારા અમલમાં આવેલી છે. આ કાયદાની કલમ 2(9)માં દર્શાવેલી વ્યાખ્યા પ્રમાણેના ઔદ્યોગિક કામદારોની તથા તેમનાં કુટુંબીજનોની માંદગી તથા સગર્ભાવસ્થા સમયે…

વધુ વાંચો >

કામદારવળતર

કામદારવળતર : અકસ્માતને કારણે ઊભી થતી મુશ્કેલીમાં કામદારોને ગુજરાત રાજ્ય તરફથી આપવામાં આવતું વળતર. આ માટે કામદારવળતર ધારો 1923માં ઘડવામાં આવ્યો. તેમાં 1984માં સુધારા કરવામાં આવ્યા છે. કામદારવળતર ધારો કારીગરોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં પ્રથમ કદમ છે. આ કાયદો ‘વસ્તુની કિંમતમાં કારીગરના શ્રમનો પૂરો સમાવેશ થવો જોઈએ’ તે સિદ્ધાંત ઉપર…

વધુ વાંચો >

કામનો અધિકાર

કામનો અધિકાર : ગરીબીનિવારણ અને બેકારીનિવારણની આર્થિક સમસ્યાઓનો એક કાયદાકીય ઉકેલ. ભારતમાં આ અધિકારને બંધારણીય અધિકારનું કે કાનૂની અધિકારનું સ્વરૂપ આપવા અંગે ભારે મતભેદ છે. કામનો અધિકાર કોઈ એક અધિકાર નથી. તે એકથી વધુ અધિકારોનો સમુચ્ચય છે. કામના અધિકારના ઘટક અધિકારો વિખ્યાત રાજ્યશાસ્ત્રી હેરલ્ડ લાસ્કી આ પ્રમાણે જણાવે છે :…

વધુ વાંચો >

કાયદાશાસ્ત્ર

કાયદાશાસ્ત્ર ન્યાયી સમાજવ્યવસ્થા અને જીવનમૂલ્યોનું જતન કરે તેવી વ્યવસ્થા માટેના કાયદાનું શાસ્ત્ર. કાયદાનું શાસન સુસંસ્કૃત સમાજ માટે અનિવાર્ય ગણાય છે. કાયદાના શાસનમાં કાયદાના નિયમો પ્રમાણે વ્યવસ્થિત રીતે ન્યાયી સમાજવ્યવસ્થા વિકસે અને માનવીય મૂલ્યોનું જતન થાય એવી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આમ થવા માટે કાયદાના સુનિશ્ચિત સિદ્ધાંતો અને જોગવાઈઓ હોવાં જરૂરી…

વધુ વાંચો >

કાયદો

કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…

વધુ વાંચો >