ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ

મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ (જ. 26 ઑક્ટોબર 1891, ભાવનગર; અ. 28 ઑક્ટોબર 1964, મુંબઈ) : સહકારી પ્રવૃત્તિના પ્રખર જ્યોતિર્ધર. વૈકુંઠભાઈના પિતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર સ્ટેટની નોકરીનું ત્યાગપત્ર આપી તેમના સમગ્ર પરિવાર સાથે કાયમ માટે ઑક્ટોબર 1900માં મુંબઈ ખાતે આવી સ્થાયી થયા હતા. વૈકુંઠભાઈનાં માતુશ્રી સત્યવતીબહેન ભીમરાવ દિવેટિયા, અમદાવાદના શ્રી…

વધુ વાંચો >

માધવાણી, મનુભાઈ

માધવાણી, મનુભાઈ (જ. 15 માર્ચ 1930, જિંજા, યુગાન્ડા ) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભારતમાં લીધું હતું. 1949માં યુગાન્ડા પાછા ફરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. તેમનું કાર્યક્ષેત્ર ખાંડ, ચા, કપાસ અને જિનિંગના ઉદ્યોગો અને વ્યાપાર હતું. મનુભાઈએ તેમાં સમયાંતરે લોખંડ, પ્લાસ્ટિક, કાચ, સાબુ, દીવાસળી અને પૅકેજિંગના…

વધુ વાંચો >

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…

વધુ વાંચો >

મારફતિયો

મારફતિયો : ઉત્પાદક અને વેપારીઓને તેમના માલની હેરફર કરવા માટે મધ્યસ્થી તરીકે સેવા આપનાર વ્યક્તિ. મારફતિયો એ બિનવેપારી આડતિયાનો એક પ્રકાર છે. આડતિયાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે : એક વેપારી આડતિયા અને બીજા બિનવેપારી આડતિયા. વેપારી આડતિયા માલધણી વતી તેના માલસામાનના ખરીદ-વેચાણ કરવાના અધિકાર ધરાવે છે. વેચેલા કે વેચાવા…

વધુ વાંચો >

માર્કેટિંગ (વિપણન)

માર્કેટિંગ (વિપણન) : ઉત્પાદનને ઉત્પાદકને ત્યાંથી શરૂ કરી વપરાશકર્તા સુધી પહોંચાડવા માટેની તમામ પ્રવૃત્તિઓનો સમાહાર. સામાન્ય અર્થમાં માર્કેટિંગ એટલે વેચાણ એવી સમજ પ્રવર્તે છે, જે અધૂરી છે. કોઈ પણ ઉત્પાદનનો હેતુ વપરાશ છે. માર્કેટિંગમાં ગ્રાહકની જરૂરિયાત, ઇચ્છા અને માંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તે અનુસાર ઉત્પાદન, આયોજન અને વિકાસ…

વધુ વાંચો >

માલિક-મંડળ

માલિક-મંડળ : સમાન હેતુને સિદ્ધ કરવા, સાચવવા અને સંવર્ધન કરવા માટે માલિકોનું થતું સંગઠન. સમાન હેતુને માટે ભેગા થયેલા માણસોનાં હિત પણ મહદ્અંશે સરખાં હોય છે. માણસની મૂળગત કબજાવૃત્તિમાંથી માલિકીભાવ પેદા થયો છે. ભારત સહિત મોટાભાગના દેશોનાં બંધારણોમાં માલિકીહક્કને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. માલિકી મેળવ્યા પછી તેને સાચવવા,…

વધુ વાંચો >

માલિકીહક્ક

માલિકીહક્ક : મિલકત ઉપર અન્યોની સામે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાનો વૈધિક અને અબાધિત એકાધિકાર. જીવંત સ્ત્રી-પુરુષો, કાયદાથી માન્ય થયેલ સંસ્થાઓ, કેટલાક સંજોગોમાં મંદિરની મૂર્તિઓને પણ કાયદાએ ‘વ્યક્તિ’ તરીકે માન્ય કરી છે. આ બધાં માલિકીહક્ક ધરાવી શકે છે. જેમાંથી વ્યક્તિને માલિકીહક્ક પ્રાપ્ત થાય છે તે મિલકતો કહેવાય છે. કાયદા અને રૂઢિના…

વધુ વાંચો >

માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ

માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ (Management Information System) : સંચાલકોને વ્યૂહરચના, યોજના, કામગીરી અને અંકુશ અંગે સક્રિય નિર્ણયો લેવા માટે આવશ્યક, ઔપચારિક અને સમયસર માહિતી પૂરી પાડતું, મુખ્યત્વે કમ્પ્યૂટર-આધારિત તંત્ર. વ્યાપાર કે સંગઠનના સંચાલકો નિર્ણયો લેવા માટે આવશ્યક માહિતી મુખ્યત્વે આંતરિક સ્રોતો (ખરીદ, વેચાણ, પુરવઠો, નફો વગેરે) દ્વારા અને બહારની માહિતી મૌખિક વાતચીત…

વધુ વાંચો >

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ : સંચાલકીય નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે તેવા હેતુથી પ્રાપ્ત થયેલ અથવા એકત્રિત કરેલ હકીકતો અને આંકડાઓનું પૃથક્કરણ. ઐતિહાસિક દસ્તાવેજો, લેખનસામગ્રી, સર્વેક્ષણો, અવલોકનો, અનુભવો, વાતચીત અને ચર્ચા જેવાં અનેક માધ્યમો દ્વારા જે હકીકતો અને આંકડા પ્રાપ્ત થાય છે તે કાચી માહિતી (data) છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ…

વધુ વાંચો >

માંદગીનો વીમો

માંદગીનો વીમો : માંદગીના ખર્ચને પહોંચી વળવા માટે વીમા કંપની દ્વારા ઉતારવામાં આવતો વિશિષ્ટ પ્રકારનો વીમો. દરેક વ્યક્તિને જીવનમાં અનિશ્ચિતતાઓ સતત સતાવતી હોય છે. આમાંની એક અનિશ્ચિતતા માંદગી ક્યારે આવશે અને તે કેટલો ખર્ચ કરાવશે તે અંગેની હોય છે. વીમા વ્યવસાયનું કામ અનિશ્ચિતતામાંથી પેદા થતા જોખમને પૉલિસી-હોલ્ડરો વચ્ચે વહેંચી આપવાનું…

વધુ વાંચો >