અનિલ રાવલ
ઠાકોર, મધુકર કૃષ્ણલાલ
ઠાકોર, મધુકર કૃષ્ણલાલ (જ. 30 સપ્ટેમ્બર 1921, અમદાવાદ; અ. 30 ઑક્ટોબર 2002, અમદાવાદ) : ગુજરાતની અનેક અદ્યતન ઇમારતોના મૌલિક દૃષ્ટિ ધરાવતા આર્કિટેક. તેમના પિતા કૃષ્ણલાલે થાણાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, કચ્છની હાઇકોર્ટ અને જામનગરની કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેઓ ખંભાતના દીવાન હતા. તેમણે શિરોહીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી…
વધુ વાંચો >ત્રિવેદી, નિરંજન મનુભાઈ
ત્રિવેદી, નિરંજન મનુભાઈ (જ. 8 જુલાઈ 1938, સાવરકુંડલા; અ. 24 ફેબ્રુઆરી 2022,અમદાવાદ) : ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક. નિરંજન ત્રિવેદીનું મૂળ વતન વઢવાણ. પરંતુ તેમનો ઉછેર અમદાવાદમાં રાયપુર-ખાડિયામાં થયો હતો. તેમનું શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. તેમણે 1960માં અર્થશાસ્ત્ર-માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને 1963માં એલએલ.બી. સુધીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાની…
વધુ વાંચો >દુઃખાયલ હુંદરાજ
દુઃખાયલ હુંદરાજ (જ. 16 જાન્યુઆરી 1910, લાડકાણા, સિંધ; અ. 21 નવેમ્બર 2003, આદિપુર, કચ્છ) : સિંધી અને હિંદી ભાષાના કવિ અને સ્વાતંત્ર્યસેનાની. કચ્છના રણવિસ્તારમાં વૃક્ષારોપણ દ્વારા ઉજ્જડ ભૂમિને હરિયાળી બનાવી ગાંધીધામ સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર હુંદરાજ દુઃખાયલે પોતાનું જીવન લેખન અને રાષ્ટ્રભક્તિમાં વિતાવ્યું. પિતા લીલારામ જેસાસિંઘ માણેક અને માતા હિરલબાઈ.…
વધુ વાંચો >દેસાઈ, કુમારપાળ
દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…
વધુ વાંચો >દેસાઈ, પદ્મા
દેસાઈ, પદ્મા (જ. 12 ઑક્ટોબર 1931 સુરત, અ. 29 એપ્રિલ 2023 ન્યૂયોર્ક, યુએસએ) : સોવિયેત રશિયાના વિદ્વાન અભ્યાસુ અને ભારતીય-અમેરિકન વિકાસ અર્થશાસ્ત્રી. તેમનો જન્મ એક ગુજરાતી અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતાનું નામ શાંતા અને પિતાનું નામ કાલિદાસ. તેમણે 1951માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં બી.એ. કર્યું. 1953માં એ જ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય
દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય (જ. 6 નવેમ્બર 1890, સાણંદ; અ. 18 મે 1948, અમદાવાદ) : ગુજરાતની સૌપ્રથમ સહકારી ગૃહમંડળીના સ્થાપક અને પિતા. તેઓ ગાંધીવાદી નેતા અને પ્રખ્યાત સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના લઘુબંધુ હતા. તેમનું કુટુંબ ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં ભાડે રહેતું હતું. પ્રીતમરાય ઈ. સ. 1908માં મૅટ્રિક થયા. એ જ…
વધુ વાંચો >દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય
દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય (જ. 20 નવેમ્બર 1880, ગોધરા, જિ. પંચમહાલ; અ. 31 માર્ચ 1950, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના ઉમદા સામાજિક કાર્યકર. શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. પછી અમદાવાદની બી. જે. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી કોલકાતા યુનિવર્સિટીમાંથી 1906માં એલ.સી.પી.એસ. થઈને ડૉક્ટર બન્યા હતા. પૂર્વજો મૂળ અલીણા ગામના…
વધુ વાંચો >ધામ, વિનોદકુમાર
ધામ, વિનોદકુમાર (જ. 22 જૂન 1950, પુણે) : ઇન્ડો-યુએસ બેન્ચર્સના સ્થાપક અને પેન્ટિયમના જનક. ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક, સંશોધક અને ઉદ્યોગસાહસિક વિનોદકુમાર ધામે પોતાની શોધ દ્વારા કમ્પ્યૂટર ટૅક્નૉલૉજીને નવી દિશા આપી છે. આધુનિક પ્રોસેસર ટૅક્નૉલૉજીનો પાયો નાખવામાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેમણે દુનિયાભરમાં કમ્પ્યૂટરને સુલભ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. તેમણે…
વધુ વાંચો >નવું ભારતીય સંસદ ભવન
નવું ભારતીય સંસદ ભવન : આત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત. આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની…
વધુ વાંચો >નાનજી, પ્રાણલાલ દેવકરણ
નાનજી, પ્રાણલાલ દેવકરણ (જ. 11 જૂન 1894, પોરબંદર; અ. 22 જુલાઈ 1956, મુંબઈ) : જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના…
વધુ વાંચો >