સમાજશાસ્ત્ર

ભટ્ટ, માનશંકર નરભેશંકર

ભટ્ટ, માનશંકર નરભેશંકર (જ. 28 ઑગસ્ટ 1908, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 2002, વડોદરા) : માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર, કુશળ વહીવટકર્તા અને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા. એમના પિતા નરભેશંકર ભાવનગર રાજ્યમાં ફોજદાર હતા. માતા માણેકબહેનનું તેઓ નાના હતા ત્યારે અવસાન થતાં દાદા અંબાશંકરભાઈ પાસે ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે ગૃહવ્યવસ્થા અને રસોઈમાં…

વધુ વાંચો >

ભવિષ્યનિધિ ધારો, 1952

ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો. વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક…

વધુ વાંચો >

ભાઈકાકા

ભાઈકાકા : જુઓ પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ

વધુ વાંચો >

ભાઈ પરમાનંદ

ભાઈ પરમાનંદ (જ. 1874, કાર્યાલા, જિ. જેલમ, પંજાબ; અ. 18 ડિસેમ્બર 1947, જાલંધર) : હિંદુ મહાસભાના નામાંકિત નેતા, સમાજસુધારક અને પત્રકાર. તેમણે બ્રિટિશ ઇન્ડિયન કૅવેલરી રેજિમેન્ટમાં સૈનિક તરીકે નોકરી કરી હતી. ભાઈ પરમાનંદ ચકવાલમાં અભ્યાસ કરી, મૅટ્રિક પાસ થયા બાદ લાહોરમાં દયાનંદ ઍંગ્લોવેદિક કૉલેજમાં જોડાયા. ત્યાંથી બી.એ. પાસ કરીને કોલકાતાની…

વધુ વાંચો >

ભાઉ દાજી (ડૉ.)

ભાઉ દાજી (ડૉ.) (જ. 1822, માંજરે, ગોવા; અ. 31 મે 1874, મુંબઈ) : ડૉક્ટર, સમાજસુધારક અને પ્રાચ્યવિદ્યાના પ્રકાંડ વિદ્વાન. પૂરું નામ રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ. પિતા દાજીને નામે અને પોતે બચપણમાં ભાઉના નામે ઓળખાતા હોઈ તેઓ ભાઉ દાજી તરીકે પ્રસિદ્ધ થયા. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ભાઉના પિતા શરૂઆતમાં ગોવામાં ખેતી કરતા.…

વધુ વાંચો >

ભારત સેવાશ્રમ સંઘ

ભારત સેવાશ્રમ સંઘ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવધર્મ અને સમાજસેવાને વરેલું લોકહિતૈષી સંગઠન, જેમાં સંન્યાસીઓ અને નિઃસ્વાર્થી કાર્યકર્તા ભ્રાતૃભાવથી ઈ. સ. 1917થી અવિરત જનકલ્યાણનાં કાર્ય કરી રહ્યા છે. સંસ્થાની સ્થાપના યોગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી (1896–1941)એ પોતાના જન્મસ્થાન બાજિતપુરા(જિ. ફરીદપુર, બાંગ્લાદેશ)માં સ્મશાનની નિકટના સ્થાનમાં વનદેવી દુર્ગાના સ્થાનક પાસે આશ્રમ બનાવીને ત્યાં…

વધુ વાંચો >

ભાવે, બાળકોબા

ભાવે, બાળકોબા (જ. 1890, જમખંડી, કર્ણાટક; અ. 28 ઑગસ્ટ 1981, ઉરુલીકાંચન, મહારાષ્ટ્ર) : રચનાત્મક કાર્યકર. વિનોભા ભાવેના વચલા ભાઈ. વિનોબાથી એ પાંચ વર્ષ નાના હતા. બચપણ ગાગોદામાં વીત્યું. પ્રાથમિક અભ્યાસ પૂરો કરી એ વડોદરાના કલાભવનમાં દાખલ થયા. ત્યાંથી એમણે ક્લે-મૉડલિંગનો ડિપ્લોમા મેળવ્યો. વિનોબાની પાછળ એ પણ 1916માં ગાંધીજીના આશ્રમમાં ગયા.…

વધુ વાંચો >

ભાવે, વિનોબા

ભાવે, વિનોબા [જ. 11 સપ્ટેમ્બર 1895, ગાગોદા, જિ. કુલાબા (રાયગડ); અ. 15 નવેમ્બર 1982, પવનાર, વર્ધા] : ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત. જન્મ ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એ વહેલી પરોઢિયે ઊઠી સંતોનાં ભજનો ગાતાં ગાતાં…

વધુ વાંચો >

ભાવે, શિવાજી

ભાવે, શિવાજી (જ. ?; અ. 12 જૂન 1992, પવનાર, વર્ધા) : રચનાત્મક કાર્યકર. વિનોબા ભાવેના સૌથી નાના ભાઈ. બાળપણમાં કેટલોક સમય એમના કાકા પાસે ગાગોદામાં રહ્યા હતા. પછી વડોદરા ગયા. સમજણા થયા ત્યારથી માતાને ઘરકામમાં મદદ કરતા. સેવાચાકરી કરતા. તેર વર્ષની વયે માતાનું મૃત્યુ થયું. વિનોબા અને બાળકોબાની જેમ શિવાજી…

વધુ વાંચો >

ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ

ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ (જ. 5 જુલાઈ 1837, માલવણ, જિ. રત્નાગિરિ; અ. 24 ઑગસ્ટ 1925, પુણે) : પ્રખર વિદ્વાન, સંશોધક, સમાજસુધારક, ભાષાશાસ્ત્રી અને ઇતિહાસવેત્તા. પિતા મામલતદાર કચેરીના અવલ કારકુન હતા. માતાનું નામ રમાબાઈ. મૂળ અટક પત્કી, પણ પૂર્વજો સરકારી ખજાનાનું કામ સંભાળતા હોઈ ‘ભાંડારકર’ અટક પ્રચલિત થઈ. પ્રાથમિક શિક્ષણ માલવણની સ્થાનિક…

વધુ વાંચો >