રાજ્યશાસ્ત્ર

વાલ્ધેમ, કુર્ત

વાલ્ધેમ, કુર્ત (જ. 21 ડિસેમ્બર 1918, વિયેના) : રાષ્ટ્રસંઘના ચોથા મહામંત્રી, ઑસ્ટ્રિયાના પ્રમુખ (1986-92) અને રાજનીતિજ્ઞ. મધ્યમવર્ગીય કૅથલિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે સમયે ઑસ્ટ્રો-હંગેરીનું સામ્રાજ્ય તૂટ્યું અને ઑસ્ટ્રિયા સંકોચાઈને એકમાત્ર નાનું રાજ્ય બની રહ્યું હતું. વિયેના યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી 1944માં સ્નાતક બન્યા. 1945માં ઑસ્ટ્રિયાની વિદેશસેવામાં જોડાયા. બીજા…

વધુ વાંચો >

વાંચ્છુ, કૈલાસનાથ

વાંચ્છુ, કૈલાસનાથ (જ. 25 ફેબ્રુઆરી, 1903, મંદસૌર, મધ્યપ્રદેશ; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પિતા પ્રિથીનાથ અને માતા બિશનદેવી. તેમણે મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાંથી શિક્ષણ મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારપછી વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ જઈ ઑક્સફર્ડની વાધેમ કૉલેજમાં જોડાયા. તેમણે ભારતીય સનદી સેવામાં જોડાઈ…

વધુ વાંચો >

વાંટા પદ્ધતિ

વાંટા પદ્ધતિ : ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલા(1411’-42)એ રાજપૂત અને કોળી જમીનમાલિકોના વિરોધને શાંત પાડવા દાખલ કરેલી પદ્ધતિ. આ પદ્ધતિ અગાઉ અહમદશાહે જમીન પોતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું, ત્યારે વારસાગત જમીન ધરાવનારા રાજપૂતો અને કોળીઓએ વિરોધ અને તોફાનો કર્યાં. એમણે ખાલસા ગામોના લોકોને પજવવા માંડ્યા. તેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ…

વધુ વાંચો >

વિજયરાઘવાચારી, સી.

વિજયરાઘવાચારી, સી. (જ. 18 જૂન 1852, પોન વિલેઇન્ધ કાલાતુર, જિ. ચિંગલપુટ, તમિલનાડુ; અ. 19 એપ્રિલ 1944, સાલેમ) : 1920માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની નાગપુર બેઠકના અને 1931માં ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભાની અકોલા બેઠકના પ્રમુખ. તેમનો જન્મ ધર્મચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સદાગોપાચારી અને માતા કન્કાવલ્લી અમ્મલનાં બાર…

વધુ વાંચો >

વિટો (નિષેધાધિકાર) (veto)

વિટો (નિષેધાધિકાર) (veto) : ખરડો, કાયદો, ઠરાવ કે નિર્ણય નામંજૂર કરવાનો હોદ્દાધારકનો અધિકાર. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘veto’ શબ્દ લૅટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે : ‘હું નિષેધ કરું છું.’ (I forbid.) આ જ પ્રમાણે ફ્રેન્ચ શબ્દ ‘vetare’ પરથી ‘veto’ શબ્દ ઊતરી આવ્યો છે. ‘vetare’નો અર્થ પણ ‘નિષેધ…

વધુ વાંચો >

વિઠ્ઠલ, એન.

વિઠ્ઠલ, એન. (જ. 31 જાન્યુઆરી 1938, તીરુવનંતપુરમ) : ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી અને જાહેર વહીવટના નિષ્ણાત. પ્રારંભે વિજ્ઞાનની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી રસાયણશાસ્ત્ર વિષય સાથે તેઓ સ્નાતક બન્યા. જમાલ મહમદ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ટૂંકી કામગીરી બજાવી, 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. સનદી સેવાની ગુજરાત કૅડરમાં તેમણે વિવિધ હોદ્દાઓ શોભાવ્યા. 1962-63માં…

વધુ વાંચો >

વિદેશનીતિ

વિદેશનીતિ વિશ્વમાં રાજકીય ક્ષેત્રે કાનૂની રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ એવાં  અનેક રાજ્યો નજરે પડે છે જે વધતા ઓછા પ્રમાણમાં રાષ્ટ્રરાજ્યો છે. આ રાજ્યોને કર્તા કે અદાકાર (actors) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કર્તાઓના વર્તનનો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે. રાજ્ય સિવાય બીજા બિનરાજ્યકર્તાઓ પણ હોઈ શકે અને તેમના…

વધુ વાંચો >

વિધાન-પરિષદ

વિધાન–પરિષદ : રાજ્યની ધારાસભાનું પરોક્ષ રીતે ચૂંટાતું ઉપલું ગૃહ. વિધાન-પરિષદની રચના રાજ્યો માટે ઐચ્છિક હોવાથી બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનાં મળીને કુલ છ રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. આ પ્રત્યેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન-પરિષદ એમ બે ધારાગૃહો અસ્તિત્વ ધરાવે છે. વિધાન-પરિષદની રચના અંગે બંધારણીય જોગવાઈ એવી…

વધુ વાંચો >

વિધાનસભા

વિધાનસભા : ભારતમાં રાજ્યની ધારાસભાનું પ્રજા દ્વારા ચૂંટાતું નીચલું ગૃહ. ભારતના બંધારણમાં ‘સંઘ’ શબ્દપ્રયોગ દ્વારા સમવાયતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આથી રાજ્યો સ્વતંત્ર અને સ્વાયત્ત એકમ સરકારો તરીકે કાર્ય કરે છે. સમવાયતંત્રનાં ઘટક રાજ્યો તરીકે પ્રત્યેક એકમ રાજ્યની સરકાર ધારાસભા ધરાવે છે. રાજ્યોની ધારાસભા તેની ઇચ્છાનુસાર એકગૃહી કે દ્વિગૃહી હોઈ…

વધુ વાંચો >

વિયેટ મિન્હ

વિયેટ મિન્હ : વિયેટનામની સ્વતંત્રતા માટેનું સક્રિય સંગઠન. 1941માં ફ્રાંસના આધિપત્ય તળેથી વિયેટનામને સ્વતંત્ર કરવા માટે હો ચિ મિન્હના નેતૃત્વ હેઠળ વિયેટ મિન્હની સ્થાપના કરવામાં આવી. હો ચિ મિન્હ પોતે સામ્યવાદી વિચારસરણી ધરાવતા હોવા છતાં વિયેટનામની આઝાદીના ધ્યેય ખાતર તેમણે વિયેટ મિન્હમાં રાષ્ટ્રવાદી પરિબળો, ખેડૂતો, કામદારો અને લશ્કરના સૈનિકોને પણ…

વધુ વાંચો >