રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા
મેરુ પર્વત
મેરુ પર્વત : ભારતીય પુરાણોમાં વર્ણવાયેલો સોનાનો બનેલો પર્વત. આ પર્વતનું બીજું નામ સુમેરુ છે. ભાગવત અને બ્રહ્માંડપુરાણમાં એનું વર્ણન આવે છે. વિષ્ણુ પુરાણ પણ તેની વિગતો આપે છે. તે ઇલાવૃત્તની વચમાં છે. જંબૂદ્વીપ જેટલો લાંબો છે, એટલો તે ઊંચો છે. તે ચાર પર્વતોથી ઘેરાયેલો છે : – મંદર, મેરુમંદર,…
વધુ વાંચો >યજુર્વેદ
યજુર્વેદ : પ્રાચીન ભારતના ચાર વેદોમાંનો એક. તે યજ્ઞમાં ઉપયોગી યજુ:નો સંગ્રહ ધરાવે છે. તેનું મહત્વ યજ્ઞથી જરા પણ ઓછું નથી. તેનું બીજું નામ ‘અધ્વરવેદ’ – યજ્ઞને લગતો વેદ છે. યજ્ઞક્રિયા સાથે હોતા, ઉદગાતા, બ્રહ્મા અને અધ્વર્યુ આ ચાર પ્રકારના ઋત્વિજો સંકળાયેલા છે. આમાંથી અધ્વર્યુનો વેદ ‘યજુર્વેદ’ છે. તેથી તેનું…
વધુ વાંચો >યજ્ઞ
યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં…
વધુ વાંચો >યમી વૈવસ્વતી
યમી વૈવસ્વતી : ઋગ્વેદ અનુસાર સૂર્યવિવસ્વત્ની પુત્રી. ઋગ્વેદ 10–17–1, 2માં કથા છે, તે મુજબ ત્વષ્ટાએ પોતાની પુત્રી સરણ્યુને વિવસ્વત્ (સૂર્ય) સાથે પરણાવી હતી. તેનાથી વિવસ્વત્ને સંતાનયુગ્મ પ્રાપ્ત થયું : યમ અને યમી. આ રીતે યમી વિવસ્વત્ની પુત્રી હોવાથી યમી વૈવસ્વતી તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રીમદભાગવત 6–6–40માં એની માતાનું નામ ‘સંજ્ઞા’ આપ્યું…
વધુ વાંચો >રાજસૂય યજ્ઞ
રાજસૂય યજ્ઞ : વેદમાં રાજા માટે કહેલો યજ્ઞ. રાજસૂય યજ્ઞના નિર્દેશો સંહિતાઓમાં મળે છે. સૂત્ર-સાહિત્યમાં તેનો વિસ્તાર છે, પરંતુ બ્રાહ્મણ-ગ્રંથોએ તેનાં લક્ષણો નિશ્ચિત કરી આપ્યાં છે. વિશેષત: શતપથ બ્રાહ્મણ, પૂર્વમીમાંસા પરના ભાષ્યમાં (441) શબરે આની વ્યાખ્યા બે રીતે આપી છે : (1) राजा तत्र सूयते तस्माद राजसूयः। આ યજ્ઞ સોમ…
વધુ વાંચો >શતપથ બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ : શુક્લ યજુર્વેદનો બ્રાહ્મણગ્રંથ. આ બ્રાહ્મણગ્રંથ બૃહત્કાય છે. शतं पन्थानः यत्र शतपथः। ततुल्यः शतपथः। ‘સો માર્ગો મળે એવો ‘ભૂમિભાગ’). એના જેવો (વિશાળ ગ્રંથ તે) શતપથ. અધ્યાય- સંખ્યા પણ લગભગ 100 છે. શુક્લ યજુર્વેદની બે શાખા છે : માધ્યંદિની અને કાણ્વ. બંનેમાં આ બ્રાહ્મણનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે…
વધુ વાંચો >શસ્ત્ર
શસ્ત્ર : યજ્ઞમાં હોતાએ બોલવાનો ઋગ્વેદનો સ્તુતિમંત્ર, જે છ પ્રકારનો છે. વૈદિક યુગમાં યજ્ઞ-પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર ઋત્વિજો હતા : હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા; આ ચારેયના અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ હતા. આમાંથી આ સમયે ઉદ્ગાતા જેનું ઉચ્ચારણ કરે છે તે સ્તોત્ર છે. તેની જેમ હોતા, જેનું ઉચ્ચારણ…
વધુ વાંચો >શંબર
શંબર : રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાણીતો રાક્ષસ. (1) રામાયણ અને મહાભારતમાંથી તેની વિગતો મળે છે. તે મુજબ દક્ષિણમાં દંડકદેશની નગરી વૈજયન્તનો રાજા તિમિધ્વજ હતો. આ પ્રદેશ અત્યારનો, બિલિમોરા પાસેનો ડાંગ જિલ્લાનો વિસ્તાર છે. આ તિમિધ્વજ ‘શંબર’ તરીકે વિખ્યાત હતો. તેને સેંકડો માયાવી વિદ્યાઓનું જ્ઞાન હતું. દેવો સમૂહમાં રહે, તોપણ…
વધુ વાંચો >શાકલ્ય
શાકલ્ય : ઋગ્વેદની સંહિતાની એક ઉપલબ્ધ શાખા. ભગવાન પતંજલિના મહાભાષ્યના ‘પસ્પશાહિનક’માં જણાવ્યા મુજબ ઋગ્વેદની 21 શાખાઓ હતી. एकविंशतिधा बाह्वृचम् । શૌનકના ‘ચરણવ્યૂહ’માં પાંચ શાખાનાં નામ આપ્યાં છે. તેમના સમયમાં ઋગ્વેદ પાંચ શાખાઓમાં હતો : શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડૂકાયન. વર્તમાન સમયમાં ઉપલબ્ધ શાખા કેવળ એક છે : શાકલ્ય. ઉપલબ્ધ…
વધુ વાંચો >સાયણાચાર્ય
સાયણાચાર્ય (જ. ઈ. સ. 1314, આંધ્ર; અ. ?) : વૈદિક સાહિત્ય પરના અનેક ભાષ્યગ્રંથોના લેખક. તેઓ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ હતા. યુવાવસ્થામાં તે કંપણ અને સંગમ રાજાઓના મંત્રી તરીકે નેલ્લોર અને તેની નજીકના વિસ્તારોમાં શાસનવ્યવસ્થામાં હતા. આમાંથી સંગમ વંશના રાજા હરિહર અને બુક્કે 15 એપ્રિલ, 1335ના રોજ વિજયનગર સામ્રાજ્યની…
વધુ વાંચો >