પ્રહલાદ છ. પટેલ

મહેશ્વરી, પંચાનન

મહેશ્વરી, પંચાનન (જ. 9 નવેમ્બર 1904, જયપુર; અ. 18 મે 1966) : ભારતના એક ખ્યાતનામ જીવવિજ્ઞાની. શાળા અને કૉલેજનું શિક્ષણ જયપુરમાં. ત્યારબાદ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ડૉક્ટર ઑવ્ સાયન્સ(ડી.એસસી.)ની ઉપાધિ 1931માં લીધી. આ સાથે તેમના ઉચ્ચ કોટિના સંશોધનને કારણે મૅકગિલ યુનિવર્સિટીએ તેમને ઑનરરી ડી.એસસી.ની ઉપાધિ આપી. આ સમય દરમિયાન તેમણે…

વધુ વાંચો >

માઇક્રોસ્કોપ

માઇક્રોસ્કોપ : અતિસૂક્ષ્મ વસ્તુ(નમૂના)ને વિવર્ધિત કરી જોવા માટેનું ઉપકરણ. તેના વડે સૂક્ષ્મ વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. માઇક્રોસ્કોપ વડે જોવાની વસ્તુને સામાન્યત: ‘નમૂનો’ કહેવામાં આવે છે. માઇક્રોસ્કોપ વિજ્ઞાન-ક્ષેત્રે અતિ મહત્વનું ઉપકરણ છે. તેના વડે જ રોગનાં જંતુઓનું નિરીક્ષણ શક્ય બન્યું. નરી આંખે ન જોઈ શકાતા જીવાણુઓનું રહસ્ય માઇક્રોસ્કોપે છતું…

વધુ વાંચો >

માથેર, જ્હૉન ક્રોમવેલ

માથેર, જ્હૉન ક્રોમવેલ (જ. 7 ઑગસ્ટ 1946, રૉનોક, વર્જિનિયા) : અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. તેમના COBE (Cosmic Background Explorer) ઉપરના સંશોધનકાર્ય માટે જ્યૉર્જ સ્મૂટની ભાગીદારીમાં 2006નો નોબેલ પુરસ્કાર તેમને મળેલો. 1964માં ન્યૂટન હાઈસ્કૂલ ન્યૂટન(ન્યૂ જર્સી)માં માધ્યમિક શિક્ષણ લીધું. 1968માં સ્વાર્થમોર કૉલેજમાંથી બી.એસસી. (ભૌતિકવિજ્ઞાન સાથે) થયા. 1974માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માંથી પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

મિત્ર, શિશિરકુમાર

મિત્ર, શિશિરકુમાર (જ. 24 ઑક્ટોબર 1890, કૉલકાતા; અ. 13 ઑગસ્ટ 1963) : ભારતના એક ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. તેમણે શાળા અને સ્નાતકકક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં લીધું હતું. કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ભૌતિકવિજ્ઞાનના વિષય સાથે 1912માં અનુસ્નાતક અને 1919માં ડૉક્ટર ઑવ્ સાયન્સ- (ડી.એસસી.)ની ઉપાધિઓ મેળવી. ત્યારબાદ તેઓ વધુ અભ્યાસાર્થે ફ્રાંસ ગયા અને ત્યાંથી પૅરિસની…

વધુ વાંચો >

મિસાઇલ

મિસાઇલ : રૉકેટ-સંચાલિત બૉમ્બની જેમ ઊડતું પ્રક્ષેપાસ્ત્ર. કેટલાંકનો આકાર રૉકેટ જેવો હોય છે તો કેટલાંક વિસ્ફોટકોથી સુસજ્જ રૉકેટો ધરાવતાં હોય છે. માનવરહિત મિસાઇલો સ્વયંસંચાલિત હોય છે, જે પોતાનાં નિર્ધારિત લક્ષ્યો પર ધસી જતાં હોય છે. કેટલાંક મિસાઇલો હાલતાંચાલતાં નિશાનોનો પીછો કરી તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. કેટલાંક મિસાઇલો…

વધુ વાંચો >

મુક્તતાની માત્રા

મુક્તતાની માત્રા (degree of freedom) : યાંત્રિક પ્રણાલીના અવકાશી અવસ્થા(configuration)ના નિરૂપણ માટે આવશ્યક સ્વતંત્ર માર્ગ(રીત)ની સંખ્યા. બીજી રીતે, યાંત્રિક પ્રણાલીની મુક્તતાની માત્રાની સંખ્યા એટલે પ્રણાલીની શક્ય એવી સ્વતંત્ર ગતિઓની સંખ્યા (s). પૂર્ણ સંકેતિત (holonomic) પ્રણાલી માટે મુક્તતાની માત્રાની સંખ્યા પ્રણાલીના વ્યાપ્તીકૃત યામો(generalised co-ordinates)ની સંખ્યા(l) બરાબર થાય છે. એટલે કે s…

વધુ વાંચો >

મુલર, કાર્લ ઍલેક્સ

મુલર, કાર્લ ઍલેક્સ (જ. 20 એપ્રિલ 1927, બૅસ્લે, સ્વિટ્ઝર્લૅન્ડ) : સિરૅમિક દ્રવ્યમાં અતિવાહકતા(superconductivity)ની શોધ બદલ 1987ના વર્ષનો ભૌતિકશાસ્ત્રના વિષયનો જે. જી. બેડ્નૉર્ઝની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. ઝૂરિકના ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(FTH)માં અભ્યાસ કરી 1958માં સ્નાતક થયા. ત્યારબાદ તે ઝૂરિક યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. તે પછી 1963થી તેઓ આઇ.બી.એમ. ઝૂરિક…

વધુ વાંચો >

મૅજિક સંખ્યા

મૅજિક સંખ્યા (Magic Numbers) : ન્યૂક્લિયસની સ્થાયી સંરચના અને પૂર્ણ કવચને અનુરૂપ ન્યૂટ્રૉન અથવા પ્રોટૉનની સંખ્યા. પ્રોટૉન અને ન્યૂટ્રૉન – એમ બંને માટે મૅજિક સંખ્યા 2, 4, 16, 20, 50 અને 82 છે. ત્યારબાદ ન્યૂટ્રૉન માટેની મૅજિક સંખ્યા 126 અને 184 છે તથા પ્રોટૉન માટેની સંખ્યા 114 અને 164 અપેક્ષિત…

વધુ વાંચો >

મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર

મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર (જ. 28 ઑગસ્ટ 1928, કર્ણાટક) : ભારતના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન વિજ્ઞાની. ભારતમાં ઑગસ્ટને રાજકીય ચળવળના મહિના તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનક્ષેત્રે પણ આ માસ મહત્વનો છે. ખગોળવિજ્ઞાન અને ખગોળ ભૌતિકવિજ્ઞાનના ‘વિકાસ’ના સ્તંભરૂપ પ્રથમ પંક્તિના ત્રણ વિજ્ઞાનીઓ – ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એમ. કે. વેણુબાપુ અને…

વધુ વાંચો >

યશ પાલ

યશ પાલ (જ. 26 નવેમ્બર 1926, ઝંગ [હાલ પાકિસ્તાનમાં]) : ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. પંજાબ યુનિવર્સિટીમાંથી 1948માં બી.એસસી. અને 1949માં એમ.એસસી. થયા બાદ યશ પાલે 1950માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. 1958માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >