૨૦.૨૫

વેક ટાપુ (Wake Island)થી વેદોપદેશચંદ્રિકા

વેક ટાપુ (Wake Island)

વેક ટાપુ (Wake Island) : પશ્ચિમ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો યુ.એસ. વહીવટ હેઠળનો ટાપુ. તે હોનોલુલુથી પશ્ચિમે 3,700 કિમી. અંતરે અને ટોકિયોથી 3,195 કિમી. અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 19° 17° ઉ. અ. અને 166° 36´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરનું લાંબું અંતર પસાર કરતાં વહાણો તેમજ હવાઈ જહાજો માટે…

વધુ વાંચો >

વેકર પ્રવિધિ (Wacker process)

વેકર પ્રવિધિ (Wacker process) : ઇથિનનું (ઇથિલીનનું) ઉદ્દીપકની હાજરીમાં હવા કે 99 % ઑક્સિજન વડે ઉપચયન કરી ઇથેનાલ(એસિટાલ્ડિહાઇડ)ના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવિધિ. આ પ્રવિધિ જે. સ્મિટ અને સહકાર્યકરોએ 1959માં વેકર કેમી ખાતે વિકસાવેલી. ઍલેક્ઝાંડર વૉન વેકર(1846-1922)ના નામ ઉપરથી તેનું નામ વેકર પ્રવિધિ રાખવામાં આવેલું. તેમાં ઇથિન (ઇથિલીન) અને હવાના (અથવા 99…

વધુ વાંચો >

વૅક્યૂમ ક્લીનર

વૅક્યૂમ ક્લીનર : ઘરમાં કે ઑફિસમાં કચરો સાફ કરવા માટે વપરાતું એક ઇલેક્ટ્રિક સાધન. સાવરણી વડે કચરો સાફ કરવાથી મોટાભાગનો કચરો સાફ થાય છે, પરંતુ સૂક્ષ્મ રજકણો વગેરે સાફ થતા નથી. ઘણા રજકણો ઓરડાના ફર્નિચર, ટી.વી. પડદા વગેરે પર એકઠા થાય છે. કાર્પેટ, પડદા, સોફાકવર વગેરે પરથી રજ પાણી-પોતું ફેરવીને…

વધુ વાંચો >

વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham)

વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham) (જ. 22 જુલાઈ 1888, પ્રિલુકા, રશિયા; અ. 16 ઑગસ્ટ 1973, વુડ્ઝ હોલ, ફલમાઉથ, મૅસેચૂસેટ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ) : રશિયામાં જન્મેલ અમેરિકન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. સન 1952ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પુરસ્કાર વિજેતા. તેઓ જેકૉબ વૅક્સમૅન અને ફ્રેડિયા લન્ડનના પુત્ર હતા અને તેમણે ખાનગી શિક્ષકો દ્વારા પ્રાથમિક શિક્ષણ…

વધુ વાંચો >

વેગ (Velocity)

વેગ (Velocity) : નિશ્ચિત દિશામાં બિંદુવત્ પદાર્થના સ્થાનાંતરનો દર. એટલે કે ચોક્કસ દિશામાં ગતિ કરતાં દૃઢ પદાર્થે અવકાશમાં એકમ સમયમાં કાપેલ અંતર. રેખીય વેગને અંતર અને સમયના ગુણોત્તર તરીકે વ્યક્ત કરવામાં આવે છે. આથી તેનો એકમ મીટર/સેકન્ડ થાય છે અને પારિમાણિક સૂત્ર M°L1T1 બને છે. વેગ અને ઝડપ વચ્ચે તફાવત…

વધુ વાંચો >

વેગક્ષય પ્રાચલ (deceleration parameter)

વેગક્ષય પ્રાચલ (deceleration parameter) : વિસ્તરણ-ગતિના ઘટાડાનો દર. ગઈ સદીની શરૂઆતમાં સિફર (Sipher) નામના ખગોળવિજ્ઞાનીએ ચાલીસ જેટલાં તારાવિશ્ર્વો(galaxies)ના વર્ણપટની રેખાઓમાં જણાતા ડૉપ્લર (doppler) ચલનના અભ્યાસ પરથી તારવ્યું કે આપણા તારાવિશ્વ આકાશગંગાની નજીકનાં આ તારાવિશ્ર્વોમાંથી મોટાભાગનાં તારાવિશ્ર્વો પૃથ્વીથી દૂર જઈ રહ્યાં છે. ત્યારબાદ હ્યુમસન (Humason) અને હબ્બલ (Hubble) નામના ખગોળવિજ્ઞાનીઓએ વધુ…

વધુ વાંચો >

વેગડ, અમૃતલાલ ગોવામલ

વેગડ, અમૃતલાલ ગોવામલ (જ. 3  ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ) : હિંદી તથા ગુજરાતી લેખક. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1955માં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. 1953થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી. તેમણે હિંદી તેમજ ગુજરાતીમાં ગ્રંથો આપ્યા છે. તેમના હિંદી ગ્રંથોમાં ‘બાપુ સૂરજ કે દોસ્ત’…

વધુ વાંચો >

વેગા, લૉપ દ

વેગા, લૉપ દ (જ. 25 નવેમ્બર 1562, મૅડ્રિડ, સ્પેન; અ. 27 ઑગસ્ટ 1635, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ નાટ્યકાર. એમણે કોઈ પણ લેખક કરતાં સૌથી વિશેષ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. એકલા લૉપને અઢારસો જેટલાં નાટકો લખવાનું અને ‘ઑટોસ સેક્રામેન્ટેઇલ્સ’ નામે ચારસો ટૂંકાં ધાર્મિક નાટકો લખવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું. નાટ્યલેખનનો આ…

વધુ વાંચો >

વેગે, નાગેશ્વર રાવ

વેગે, નાગેશ્વર રાવ (જ. 18 જાન્યુઆરી 1932, પેડા અવતપલ્લી, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી અને ઇટાલિયન કવિ. તેમણે 1955માં આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને પછી પરમા યુનિવર્સિટી, ઇટાલીમાંથી એમ.ડી.ની પદવીઓ મેળવી અને સ્વિસ મેડિકલ સોસાયટીના ફેલો બન્યા. ત્યારબાદ તેમણે ગેરા પિયાનોમાં ડૉક્ટરનો વ્યવસાય શરૂ કર્યો. હૉસ્પિટલ મેડૉસ્કિયોના ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર…

વધુ વાંચો >

વૅગ્નર, જુલિયસ જૌરેગ

વૅગ્નર, જુલિયસ જૌરેગ (જ. 7 માર્ચ 1857, વેલ્સ, ઑસ્ટ્રિયા; અ. 27 સપ્ટેમ્બર 1940, વિયેના) : ઑસ્ટ્રિયન મનોચિકિત્સક તથા ચેતાતંત્ર-વિજ્ઞાની. મૂળ નામ જુલિયન વૅગ્નર રીટ્ટર. તેમણે ઉપદંશ (syphilis) નામના રોગમાં થતી મનોભ્રંશી સ્નાયુઘાતતા (dementia paralytica) નામની આનુષંગિક તકલીફમાં મલેરિયા કરતા સૂક્ષ્મજીવોને શરીરમાં પ્રવેશ આપીને સફળ સારાવાર થઈ શકે છે તેવું દર્શાવ્યું…

વધુ વાંચો >

વેદોપદેશચંદ્રિકા

Feb 25, 2005

વેદોપદેશચંદ્રિકા : ગુજરાતી લેખક દ્યા દ્વિવેદની ‘નીતિમંજરી’નો ઉપદેશ વેદકથાઓ સાથે રજૂ કરતો ગ્રંથ. વેદવિદ સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજશ્રીએ એકીસાથે વિદ્વાન અને સામાન્ય જિજ્ઞાસુને વેદના માધ્યમથી ઉત્તમ નીતિબોધ અને આધ્યાત્મિક ચિંતનનો લાભ આપતો હિન્દી ભાષામાં લખેલો અને વારાણસીથી પ્રકાશિત થયેલો ગ્રંથ (સં. 2026). આ ગ્રંથનું સંપાદન સ્વામી ગોવિંદાનંદજી મહારાજે કર્યું છે. આ…

વધુ વાંચો >