૧.૦૬

અડાસનો ગોળીબારથી અણુનીતિ

અણુઘૂર્ણન

અણુઘૂર્ણન (molecular rotation) : પ્રકાશક્રિયાશીલ પદાર્થના વિશિષ્ટ ઘૂર્ણન ને તેના અણુભારથી ગુણતાં મળતી સંખ્યા. અહીં અણુઘૂર્ણન અને MW અણુભાર છે. અણુઘૂર્ણનની આ રીતે મેળવેલી કિંમત ઘણી ઊંચી હોવાથી સમીકરણની જમણી બાજુને 1૦૦ વડે ભાગીને આ કિંમત દર્શાવવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશના તલને એક અથવા બીજી દિશામાં ફેરવવાના ગુણધર્મને પ્રકાશક્રિયાશીલતા કહેવામાં…

વધુ વાંચો >

અડાસનો ગોળીબાર

Jan 6, 1989

અડાસનો ગોળીબાર : અડાસ ગામે થયેલો ગોળીબાર (1942). ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું અડાસ ગામ. અઢારમી ઑગસ્ટ 1942નો દિવસ. ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવનો અગિયારમો દિવસ. ‘કરેંગે યા મરેંગે’નો સંદેશો દેશના ખૂણે ખૂણે વ્યાપી ગયો હતો. રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ સાથે વડોદરાના ચોત્રીસ યુવાનો ગ્રામજાગૃતિ માટે નીકળ્યા. બાજવા પહોંચ્યા. ત્યાંથી ગાડીમાં નાવલી ગયા.…

વધુ વાંચો >

અડિગ, ગોપાલ કૃષ્ણ

Jan 6, 1989

અડિગ, ગોપાલ કૃષ્ણ (જ. 18 ફેબ્રુઆરી 1918, મોગરી; અ. 14 નવેમ્બર 1992, બેંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ કવિ. મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી મેળવી. મૈસૂર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું. ઉડૂપીમાં પૂર્ણયજ્ઞ મહાવિદ્યાલયના આચાર્ય. કન્નડ ત્રૈમાસિકના સંપાદક. સ્વાતંત્ર્યોત્તર કન્નડ સાહિત્ય પર અડિગનો વ્યાપક પ્રભાવ હતો. ‘ભાવતરંગ’ (1946); ‘કુટ્ટવેવુનાચુ’ (1948);…

વધુ વાંચો >

અડિવિ બાપ્પીરાજુ

Jan 6, 1989

અડિવિ બાપ્પીરાજુ (જ. 8 ઑક્ટોબર 1895, સરી પલ્લે, ભીમાવરમ, જિ. ગોદાવરી; અ. 22 સપ્ટેમ્બર 1952) : અર્વાચીન તેલુગુ કવિ. ગીતકાર, ગાયક, ચિત્રકાર, વાર્તાકાર તથા નવલકથાકાર પણ ખરા. વિવિધ કલાઓ પ્રત્યે નાનપણથી જ આકર્ષણ. ભારતમાં ભમીને એમણે મંદિરોની શિલ્પકલા અને ગુફાઓની ચિત્રકલાનું અધ્યયન કર્યું હતું. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લઈને…

વધુ વાંચો >

અડીલાબાદ (આદિલાબાદ)

Jan 6, 1989

અડીલાબાદ (આદિલાબાદ) : ભારતના આંધ્ર પ્રદેશનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : 16,133 ચોકિમી. અડીલાબાદ જિલ્લો ગોદાવરી અને પેન્ગંગા નદીઓની વચ્ચે આવેલો, જંગલોવાળો ઉચ્ચ પ્રદેશ (656 મીટર) છે. સાગનું લાકડું અહીં બહુ થાય છે. વસ્તી : જિલ્લો 20,80231 (1991). અડીલાબાદ શહેર હૈદરાબાદથી 260 કિમી. ઉત્તરે આવેલું છે. તે કૃષિપેદાશોના…

વધુ વાંચો >

અડોની

Jan 6, 1989

અડોની : આંધ્રપ્રદેશમાં હૈદરાબાદથી નૈર્ઋત્યે 225 કિમી. દૂર મુંબઈ–મદ્રાસ રેલમાર્ગ પર કુર્નૂલ જિલ્લામાં આવેલું શહેર. વસ્તી : 1,35,718 (1991). અડોની વિજયનગરના મધ્યયુગીન હિંદુ સામ્રાજ્યનો ગઢ ગણાતું. પછીથી 1792માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થયું ત્યાં સુધી મુસ્લિમ શાસકોએ તેના પર અંકુશ જમાવ્યો હતો. પછી તે હૈદરાબાદના…

વધુ વાંચો >

અઢારસો તેર(1813)નું ખતપત્ર

Jan 6, 1989

અઢારસો તેર(1813)નું ખતપત્ર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘડેલો ભારતીય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસ માટે ફરજિયાત જોગવાઈ કરતો ધારો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1600માં ઇંગ્લૅન્ડમાં કરવામાં આવી હતી. એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત પૂર્વના દેશોમાં વ્યાપાર કરવાનો હતો. દેખીતી રીતે નફો કરવાના હેતુથી સ્થપાયેલ એક વ્યાપારી પેઢીને શિક્ષણ સાથે પ્રત્યક્ષ…

વધુ વાંચો >

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ

Jan 6, 1989

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ બ્રિટિશ શાસન વિરુદ્ધ હિંદી લશ્કરના સિપાઈઓએ કરેલો બળવો. બરાકપુર છાવણીની 34મી પલટણના મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબારો કર્યા. મેરઠના હિન્દી સૈનિકોએ 10મી મે 1857ના રોજ કેટલાક અંગ્રેજોની હત્યા કરીને બળવાની શરૂઆત કરી. ગુજરાતમાં : ભારતમાં 1857ના વિપ્લવ માટેનાં લગભગ બધાં જ પરિબળો અને કારણો ગુજરાતના વિપ્લવમાં…

વધુ વાંચો >

અણખી, રામસરૂપ

Jan 6, 1989

અણખી, રામસરૂપ (જ. 28 ઑગસ્ટ 1932, ધૌલા, જિ. સંગરૂર, પંજાબ; અ. 14 ફેબ્રુઆરી 2010, બરનાલા) : પંજાબી નવલકથાકાર. ‘કોઠે ખડકસિંહ’ નામની તેમની કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબીમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત શિક્ષણના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. શાળાના શિક્ષક તરીકે જીવન સમર્પિત કરી દીધું.…

વધુ વાંચો >

અણજોડ

Jan 6, 1989

અણજોડ (1953) : હરચરણસિંહની રંગમંચ પર અનેક વાર સફળતાથી ભજવાયેલી કજોડાવિષયક પંજાબી નાટ્યરચના. ‘અણજોડ’નો અર્થ થાય છે ‘કજોડું’. આ કૃતિ કરુણાન્તિકા છે. ક્રમે ક્રમે નાયિકાની ઉપર ગુજરતો ત્રાસ વધતો જાય છે. એમાં નાયિકાના મનોભાવનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ હોવાથી એકોક્તિઓ પણ સારા પ્રમાણમાં આવે છે; જોકે રંગમંચ પર એની સફળ રજૂઆત થઈ…

વધુ વાંચો >

અણબિયામા

Jan 6, 1989

અણબિયામા (1942) : આધુનિક પંજાબી લઘુનવલ. આધુનિક પંજાબી લેખક ગુરુબક્ષસિંહ ‘પ્રીતલડી’ની આ લઘુનવલ છે. આ કૃતિમાં લગ્નની સમસ્યાનું નિરૂપણ છે. નાયિકા પ્રભા પ્રચલિત સામાજિક મૂલ્યોની અવગણના કરીને એના સહાધ્યાયી ચિત્તરંજનની જોડે જેલમાં એક રાત વિતાવે છે, અને એ એની પત્ની હોય એમ વર્તે છે. વિધિવત્ લગ્ન કર્યા વિના એના બાળકની…

વધુ વાંચો >