૧૦.૧૯

નીલગિરિ ટેકરીઓથી નૃસિંહ

નીલગિરિ ટેકરીઓ

નીલગિરિ ટેકરીઓ : તમિળનાડુ રાજ્યમાં આવેલી દક્ષિણ ભારતની પ્રમુખ પર્વતમાળા. તે 11° 25´ ઉ. અ. અને 76° 40´ પૂ. રે. પરના ભૌગોલિક સ્થાનની આજુબાજુ વિસ્તરેલી છે. ડુંગરો અને ખીણોથી વ્યાપ્ત આ પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 2,590 ચોકિમી. જેટલો છે. મબલક વર્ષા તથા ભૂમિની મોકળાશને લીધે આખોય પ્રદેશ ઘટાટોપ વનશ્રીથી છવાયેલો…

વધુ વાંચો >

નીલ દર્પણ

નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો  કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક…

વધુ વાંચો >

નીલમ (sapphire)

નીલમ (sapphire) : કોરંડમ(A12O3)નો નીલરંગી, પારદર્શક કે પારભાસક સ્વરૂપે મળતો પૂર્ણસ્ફટિકમય રત્નપ્રકાર. તેની કઠિનતા 9 છે અને વિશિષ્ટ ઘનતા 1.76–1.77 છે. કઠિનતામાં હીરાથી તરત જ નીચે તેનો ક્રમ આવતો હોઈ દૃઢતા અને ટકાઉપણાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કોરંડમની લાલ રંગની પારદર્શક જાત માણેક (ruby) તરીકે અને નીલ રંગની પારદર્શક જાત…

વધુ વાંચો >

નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis)

નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis) [જ. 22 નવેમ્બર 1904, લીઓં (Lyons), ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 2000, Brive-La-Gaillarde] : ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો ઉપરના તેમના પાયાના અભ્યાસ માટે, સ્વીડિશ ખગોળભૌતિકશાસ્ત્રી હૅન્સ આલ્ફવેન(Hannes Alfven)ની સાથે, 1970ની સાલ માટેના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. તેમની શોધખોળનું મુખ્ય પ્રદાન ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state…

વધુ વાંચો >

નીલશિર (Mallard)

નીલશિર (Mallard) : ભારતમાંનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Anas platyrhynchos છે. તેનો સમાવેશ Ansariformes વર્ગ અને Anafidae કુળમાં થાય છે. મોટે ભાગે તેનો વસવાટ યુરોપ, એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. આ પંખી ગયણાના જેવું જ આકર્ષક રંગવાળું બતક છે. નરનું કદ 61 સેમી. અને…

વધુ વાંચો >

નીલ-હરિત લીલ (blue-green algae)

નીલ-હરિત લીલ (blue-green algae) : મોનેરા સૃષ્ટિના સાયેનોબૅક્ટેરિયા વર્ગના સૂક્ષ્મજીવો. દેખાવમાં તે લીલ (algae) સાથે સાદૃશ્ય ધરાવે છે; પરંતુ તેની રચના બૅક્ટેરિયા જેવી હોય છે. બૅક્ટેરિયાની જેમ તેનું કોષકેન્દ્ર આવરણ વિનાનું હોય છે. લીલી વનસ્પતિની જેમ પ્રકાશ-સંશ્લેષણ દરમિયાન આણ્વિક ઑક્સિજનને તે મુક્ત કરે છે. કેટલાક નિષ્ણાતો આજે પણ તેને સાયનોફાયસી…

વધુ વાંચો >

નીલા અંબર કાલે બાદલ

નીલા અંબર કાલે બાદલ (1967) : ભારતના ડોગરી વાર્તાકાર નરેન્દ્ર ખજૂરિયા(1933–1970)નો ટૂંકી વાર્તાનો સંગ્રહ. એમાં તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ સ્થાન પામી છે. રાષ્ટ્રપ્રેમ તથા પોતાના વતન તેમજ સ્વજન માટે બલિદાન જેવા વિષયોને લગતી ‘નાટક દા હીરો’, ‘મા તૂ લોરી ગા’ જેવી વાર્તાઓમાં લાગણીશીલતાનો અતિરેક જોવા મળે છે. ‘નીલા અંબર કાલે…

વધુ વાંચો >

નીલિમા (cyanosis)

નીલિમા (cyanosis) : ચામડી, નખ, હોઠ વગેરે ભૂરાં થાય તે. વિવિધ વિકારોમાં લોહીમાં ઑક્સિજન ઓછો હોય તેનાથી નખ, હોઠ, ચામડી, જીભ વગેરે ભૂરા રંગનાં થાય છે. તે વિવિધ રોગોના નિદાનમાં જોવા મળતું એક ચિહન છે. લોહીના રક્તકોષોમાં હીમોગ્લોબિન (લોહવર્ણક, haemoglobin) નામનું એક દ્રવ્ય છે. તે ફેફસામાં ઑક્સિજન સાથે જોડાઈને ઑક્સિ-હીમોગ્લોબિન…

વધુ વાંચો >

નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો

નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો : આશરે 1657માં બંધાયેલ  જાપાનનું ધાર્મિક સ્થળ. તેનું આયોજન તત્કાલીન જાપાની શૈલીમાં પ્રચલિત સ્થાપત્યની પ્રણાલીઓને અનુરૂપ થયેલું છે. બગીચા અને મકાનની સંલગ્ન પરિસર તથા ચતુષ્કોણાકાર સાદડીના માપથી રચાયેલ ફરસ-વિસ્તાર આ આયોજનના મુખ્ય અંગ રૂપે છે. સ્વાગત-કક્ષ, પાદરીઓ માટે ખાનગી રહેણાક અને અલાયદું બાંધવામાં આવેલ મંદિર આમાં સમાવાયેલાં…

વધુ વાંચો >

નીસ, જોસેફ નાઇસફોર

નીસ, જોસેફ નાઇસફોર (જ. 7 માર્ચ 1765, ફ્રાન્સ; અ. 3 જુલાઈ 1833, ફ્રાન્સ) : ફ્રેન્ચ સંશોધક અને છબીકલાના અગ્રણી સંશોધક. સાધનસંપન્ન કુટુંબના પુત્ર. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી, માદરે વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી જીવનના અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ ક્લૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય…

વધુ વાંચો >

નૂરુલ હસન, ડૉ. સૈયદ

Jan 19, 1998

નૂરુલ હસન, ડૉ. સૈયદ (જ. 26 ડિસેમ્બર 1921, લખનૌ; અ. 12 જુલાઈ 1993, કૉલકાતા) : ભારતના વિદ્વાન ઇતિહાસકાર અને રાજકીય નેતા. પિતા અબ્દુલ હસન, માતા નૂર ફાતિમા બેગમ. સૈયદ નૂરુલ હસને અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ. એ. અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડી.ફિલ્.ની ડિગ્રીઓ મેળવી. તે દરમિયાન તેમણે મધ્યકાલીન ભારતના ઇતિહાસનો વિશેષ અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

નૃત્યકલા

Jan 19, 1998

નૃત્યકલા : કોઈ ભાવ, કલ્પના, વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા કે પછી ગતિનો જ આનંદ માણવા માટે સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગવિન્યાસ. નૃત્ય કલાઓની જનની છે. માણસે રંગ, પથ્થર કે શબ્દમાં પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપી તે પહેલાં પોતાના દેહ દ્વારા એની અભિવ્યક્તિ સાધી. સર્વપ્રથમ નૃત્ય-ચેષ્ટા સર્વસામાન્ય આનંદને વ્યક્ત…

વધુ વાંચો >

નૃત્યમંડપ

Jan 19, 1998

નૃત્યમંડપ : મંદિરમાં પ્રભુને રીઝવવા કરાતાં નૃત્ય માટેનો મંડપ. તેને પ્રકારક મંડપ પણ કહેવાય. નૃત્યમંડપમાં વચ્ચે વધુ અવકાશવાળી જગ્યા મેળવવાના હેતુથી ઉપર સપાટ છતને બદલે ગુંબજની રચના કરાતી. નૃત્યગૃહ ગર્ભગૃહ અર્થાત્, મુખ્ય પ્રાસાદની ધરી પર જ બનાવાતું. ચિદમ્બરમના મંદિરમાં 8 ફૂટ ઊંચા 50 સ્તંભોવાળો નૃત્યમંડપ છે. તેના ઊંચા મંચની બે…

વધુ વાંચો >

નૃસિંહ

Jan 19, 1998

નૃસિંહ : હિન્દુ ધર્મ અનુસાર હિરણ્યકશિપુ નામના દાનવને ખતમ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલો ચોથો અવતાર. વિષ્ણુએ આ અવતાર વૈવસ્વત મન્વન્તરના ચોથા ચતુર્યુગના કૃતયુગમાં વૈશાખ સુદ ચૌદશને દિવસે લીધેલો. તમામ લોકોને પોતાને ભગવાન માનવા ફરજ પાડી, લોકોને તથા પોતાના પુત્ર ભગવદભક્ત પ્રહ્લાદને પીડનાર હિરણ્યકશિપુ દાનવ ભગવાનનો વિરોધી હતો. ભગવાનની ભક્તિ…

વધુ વાંચો >