Udaya-prabha Sūri – Disciple of Acharya Vijaysensuri – a Jain monk and a member of the literary circle of the minister Vastupala.

ઉદયપ્રભસૂરિ (તેરમી સદી)

ઉદયપ્રભસૂરિ (તેરમી સદી) : મંત્રી વસ્તુપાલના ગુરુ આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય. વસ્તુપાલ મંત્રીએ તેમને સૂરિપદથી સમલંકૃત કરેલા હતા. વસ્તુપાલના વિદ્યામંડલના અનેક વિદ્વાનો તથા સાહિત્યકારોમાં તેમનો સમાવેશ થતો હતો. તેમણે ‘ધર્માભ્યુદય’ અપરનામ ‘સંઘપતિચરિત’ નામનું પંદર સર્ગનું કાવ્ય રચ્યું છે. મંત્રી વસ્તુપાલે સંઘપતિ બનીને ભારે દબદબાથી શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રા કરી હતી,…

વધુ વાંચો >