હિના શુક્લ
ગડનાયક, અદ્વૈતચરણ
ગડનાયક, અદ્વૈતચરણ (જ. 24 એપ્રિલ, 1963 ઓડિશા) : ભારતીય મૂર્તિકલા જગતના એક પ્રખ્યાત અને વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરનારા મૂર્તિકાર. બાળપણથી જ તેઓ ભારતીય કળા પ્રત્યે આકર્ષિત રહ્યા હતા. છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ વર્ષોથી તેમણે અનેક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક મૂર્તિઓ બનાવીને ભારત અને વિશ્વમાં નામના મેળવી છે. તેમણે ભારતમાં ‘બી.…
વધુ વાંચો >દુર્ગાચરણ, રણબીર
દુર્ગાચરણ, રણબીર (જ. 1 માર્ચ 1951, કાનગુરુ, ઓડિશા) : ઓડિસી નૃત્યના ખ્યાતિપ્રાપ્ત પ્રતિભાશાળી નૃત્યકાર અને લોકપ્રિય ગુરુ. વર્ષો સુધી સતત અભ્યાસ અને ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલ શિક્ષણને ઊંડાણપૂર્વક આત્મસાત્ કરીને ઓડિસી નૃત્યશૈલીના સંવર્ધન અને પ્રસાર માટે તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ માટે તેમને 2025માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના પુરસ્કારથી…
વધુ વાંચો >નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ
નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ (જ. 3 ઑગસ્ટ 1958, દિલ્હી) : જૈન ધર્મના પ્રસાર ઉપરાંત તેમણે કરેલા શિક્ષણ અને સેવાક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ 2025માં પદ્મશ્રીથી સન્માનિત એક જૈન સાધુ. તેમનો જન્મ પંજાબી જૈન પરિવારમાં થયો હતો. નવ વર્ષની નાની વયે તેમણે જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હતી. બાળપણથી જ તેમને અધ્યાત્મ, જ્ઞાન અને…
વધુ વાંચો >નોહરિયા, નીતિન
નોહરિયા, નીતિન (જ. 9 ફેબ્રુઆરી 1962) : હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના વિશ્વસન્માનિત પ્રખ્યાત પ્રોફેસર તથા 2010થી 2020 સુધી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના દસમા ડીન રૂપે કાર્ય કરનાર તથા પદ્મશ્રી પુરસ્કૃત. પોતાની આગવી નેતૃત્વ શૈલી અને શૈક્ષણિક દૃષ્ટિકોણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને નવી ઊંચાઈએ પહોંચાડી. તેમનો જન્મ હિંદુ વણિક પરિવારમાં થયો. તેમના પિતા ક્રોમ્પટન…
વધુ વાંચો >બાઠારી, જયનાચરણ
બાઠારી, જયનાચરણ (જ. 1 જુલાઈ 1940, દિમા, જિ. હસાઓ, અસમ) : દિમાસા સમુદાયના લોકસંગીત અને પરંપરાગત વાદ્યોને લોકપ્રિય બનાવનાર અસમ રાજ્યના હાફલોંગ ગામના નિવૃત્ત સરકારી કર્મચારી. બાઠારીને નાનપણથી જ દિમાસા લોકસંગીત પ્રત્યે આકર્ષણ અને સમર્પણની ભાવના હતી. પોતાની અથાગ મહેનત અને દૃઢ નિશ્ચયના કારણે તેઓ ગાયક બન્યા. આકાશવાણી સિલચર, હાફલોંગ,…
વધુ વાંચો >બોરો, અનિલકુમાર
બોરો, અનિલકુમાર (જ. 9 ડિસેમ્બર 1961, કહિતામા, અસમ) : કવિ, લોકસાહિત્યકાર, અનુવાદક, શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યિક વિવેચક. બોરોએ ગુવાહાટી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ લોકસાહિત્ય સંશોધન વિભાગમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે 1988માં ડિમોરિયા કૉલેજ ખેતરી ખાતે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેઓ 2002ની સાલમાં ગુવાહાટી…
વધુ વાંચો >રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ
રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ (જ. 17 જૂન 1935) : પત્રકારત્વ, શિક્ષણ અને સામાજિકક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કરનાર. 2025ના પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત શૈક્ષણિક ટ્રસ્ટ ‘સુબ્બાલક્ષ્મી લક્ષ્મીપતિ’ ફાઉન્ડેશનના અધ્યક્ષ. તેમણે તિરુવનંતપુરમની ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી રસાયણવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે કાર્ડિફ યુનિવર્સિટીમાંથી ન્યૂઝ પેપર મૅનેજમેન્ટનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી. તેમણે 1956માં તમિળ સમાચારપત્ર ‘દિનમલાર’(Dinamalar)માં જાહેરાત…
વધુ વાંચો >લામા લોબજંગ
લામા લોબજંગ (જ. 1 જાન્યુઆરી 1930; અ. 16 માર્ચ 2024) : અત્યંત પ્રેરણાદાયી, અસાધારણ વ્યક્તિત્વવાળા હિમાલયના લદ્દાખ ક્ષેત્રના બાઘ ભિક્ષુ. જેમને લદ્દાખવાસીઓની અવિરત સેવા અને નિઃસ્વાર્થ ભાવના માટે 2025નો મરણોત્તર પદ્મશ્રી મળેલ છે. લામા બોલજંગનો જન્મ લેહ લદ્દાખના કાઉ પરિવારમાં થયો હતો. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ(IBC)ના મહાસચિવ તરીકે સેવા આપનારા આ…
વધુ વાંચો >શીન કાફ નિઝામ
શીન કાફ નિઝામ (26 નવેમ્બર 1945, જોધપુર) : પ્રતિષ્ઠિત ઉર્દૂ સમીક્ષક, કવિ અને સાહિત્ય સંપાદક. શીન કાફ નિઝામ તેમનું પેન નામ છે. તેમનું મૂળ નામ શિવ કિસન બિસ્સા છે. તેઓ એક મારવાડી હિંદુ પરિવારમાં જન્મેલા હોવા છતાં ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષામાં પણ નિપુણ હતા. તેમણે વ્યાવસાયિક કારકિર્દી વીજ વિભાગમાં…
વધુ વાંચો >શુક્લ, તુષાર દુર્ગેશ
શુક્લ, તુષાર દુર્ગેશ (જ. 29 એપ્રિલ 1955, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત કવિ, લેખક, વાર્તાકાર, સંવાદકાર, વક્તા, નાટ્યલેખક, અભિનેતા, મંચ સંચાલક, યુવાપેઢીના માર્ગદર્શક અને પ્રશાસક. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે તેમણે આપેલા યોગદાન માટે તુષાર શુક્લને ભારત સરકાર તરફથી 2025માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. સર્જનાત્મક વલણ તેમને વારસામાં મળ્યું…
વધુ વાંચો >