શાહુ કૃષ્ણચરણ

શાહુ, કૃષ્ણચરણ

શાહુ, કૃષ્ણચરણ (જ. 16 એપ્રિલ 1929, નાટિ, કટક, ઓરિસા) : ઊડિયા પંડિત અને વિવેચક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રાંચી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ઉત્કલ યુનિવર્સિટીમાં ઊડિયાના પ્રાધ્યાપક રહ્યા અને ત્યાંથી સેવાનિવૃત્ત થયા 1984-89. તેમણે ઊડિયા સાહિત્ય તેમજ મધ્યકાલીન ભારતીય સાહિત્ય, ખાસ કરીને હિંદી, બંગાળી અને અસમિયાનો ઊંડો અભ્યાસ…

વધુ વાંચો >