વિભૂતિ વિ. ભટ્ટ

કીર્તિકૌમુદી

કીર્તિકૌમુદી : ગુર્જરેશ્વરના પુરોહિત કવિ સોમેશ્વરે લખેલું સંસ્કૃત મહાકાવ્ય. તેમાં 9 સર્ગો અને 722 શ્લોકો છે. ગુર્જરેશ્વર ભીમદેવ બીજાના સમય દરમિયાન થઈ ગયેલા ધોળકાના મહામંડલેશ્વર રાણક લવણપ્રસાદ અને તેના પુત્ર વીરધવલનો અત્યંત વિશ્વાસુ મહામાત્ય વસ્તુપાલ આ મહાકાવ્યનો નાયક છે. સોમેશ્વર મહામાત્ય વસ્તુપાલની પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક…

વધુ વાંચો >

છાયાનાટ્ય

છાયાનાટ્ય : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અનુસાર રૂપકનો એક પ્રકાર. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં રૂપકોના 10 પ્રકારો પૈકી ‘નાટક’ ગણાવ્યું છે, તેમાં ‘છાયાનાટ્ય’ કે ‘છાયાનાટક’ની ચર્ચાનો સમાવેશ થયેલો છે. તેરમી સદીના ગુજરાતના કવિ સોમેશ્વરે ‘છાયાનાટ્ય’ અને ‘છાયાનાટક’ના પ્રયોગો પોતાના ‘ઉલ્લાઘરાઘવ’માં કરી બતાવ્યા છે. આ બંને પ્રયોગો નાટ્યકલાનાં વિભિન્ન સ્વરૂપો છે. તે વિશે છાયાનાટ્યકલા અંગે…

વધુ વાંચો >