વાસંતી તોડકર

પટવર્ધન, વસુંધરા

પટવર્ધન, વસુંધરા (જ. 18 એપ્રિલ 1917; અ. 3 સપ્ટેમ્બર 2010, પુણે) : મરાઠી લેખિકા. મરાઠી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. ઉપરાંત તેમણે મરાઠીમાં ‘સાહિત્ય-વિશારદ’ની પદવી પ્રાપ્ત કરી હતી. બાળવાર્તાસંગ્રહો ઉપરાંત બે નવલકથાઓ ‘પ્રીતીચી હાક’ (1951) અને ‘નેત્રા’ (1967), ત્રણ નાટકો ‘ચારમિનાર’, ‘પુત્રવતી ભવ’ અને ‘હિરકણી’ (1954), અમેરિકાની…

વધુ વાંચો >

પ્રભુ, આરતી

પ્રભુ, આરતી (જ. 18 માર્ચ 1930, બાગલાંચી રાઈ, જિ. રત્નાગિરિ; અ. 1976, મુંબઈ) : મૂળ નામ ચિંતામણ ત્ર્યંબક ખાનોલકર. જાણીતા મરાઠી કવિ. શરૂઆતનું શિક્ષણ રત્નાગિરિ જિલ્લાના કુડાળ ગામે અને માધ્યમિક શિક્ષણ સાવંતવાડી અને મુંબઈમાં. 1959થી 1965 દરમિયાન લોણાવળા ખાતેની ‘ગુરુકુલ’ સંસ્થામાં; આકાશવાણી – મુંબઈ કેન્દ્રમાં તથા મુંબઈ યુનિવર્સિટીમાં સેવાઓ આપી.…

વધુ વાંચો >