મીર સૈયદઅલી કાશાની

મીર, સૈયદઅલી કાશાની

મીર, સૈયદઅલી કાશાની (સોળમી સદી) : ગુજરાતનો ઇતિહાસકાર. ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજા(ઈ. સ. 1511–1526)નો તે દરબારી ઇતિહાસકાર અને કવિ હતો. તેણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનો ઇતિહાસનો ગ્રંથ લખ્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન-સમયનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. આ ગ્રંથનો 50 ટકા ભાગ લેખકની કે અન્ય કવિઓની કાવ્ય-પંક્તિઓથી ભરપૂર છે.…

વધુ વાંચો >