ભારદ્વાજ રાવુરી

ભારદ્વાજ, રાવુરી

ભારદ્વાજ, રાવુરી (જ. 5 જુલાઈ 1927, ગામ મોગુલુર, પૂર્વ હૈદરાબાદ રાજ્ય) : તેલુગુના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. રેખાચિત્રોના તેમના સંગ્રહ ‘જીવન સમરમ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. વિધિસર શિક્ષણ તેમને કેવળ 8 ધોરણ સુધીનું જ મળ્યું હતું. પછી તેઓ આપમેળે શિક્ષણમાં આગળ વધ્યા. અનેકવિધ કામગીરી બજાવ્યા…

વધુ વાંચો >