દશરથભાઈ ઠક્કર

અખો

અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…

વધુ વાંચો >

ઉદાસી સંપ્રદાય

ઉદાસી સંપ્રદાય : ગુરુ નાનકના ધર્મ પર ચાલતો એક ફિરકો. તે શીખધર્મની પાબંદીઓ(નિયમબદ્ધતાઓ)માં માનનારો છે. આ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનકના દીકરા શ્રીચંદ હતા. ‘ગ્રંથ-સાહેબ’ને તેઓ પોતાના ધર્મગ્રંથ તરીકે સ્વીકારે છે. ઉદાસી એટલે વિષયો તરફ અપ્રીતિવાળું, બેફિકર, નિરપેક્ષ, ઉદાસીન જીવન જીવનાર વિરક્ત પુરુષ. દુનિયાદારી તજનારો આ વર્ગ શીખ લોકોમાંથી જ ઉત્પન્ન…

વધુ વાંચો >