જાગીરદાર ગજાનન

જાગીરદાર, ગજાનન

જાગીરદાર, ગજાનન (જ. 2 એપ્રિલ 1907, અમરાવતી; અ. 13 ઑગસ્ટ 1988, મુંબઈ) : બહુવિધ પ્રતિભા ધરાવતા ચલચિત્રઅભિનેતા, નિર્માતા, નિર્દેશક. પિતા તેમને અધ્યાપક બનાવવા માગતા હતા. પણ અભિનેતા બનવા માટે એમ.એ.નો અભ્યાસ પડતો મૂકી તે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની નટમંડળીમાં સામેલ થયા; પરંતુ ચલચિત્રજગતનું વિશેષ આકર્ષણ હોવાથી 1930માં દિગ્દર્શક ભાલજી પેંઢારકરના સહાયક તરીકે…

વધુ વાંચો >