છોટમ

છોટમ

છોટમ (જ. 24 માર્ચ 1812, મલાતજ, તા. પેટલાદ, જિ. ખેડા; અ. 5 નવેમ્બર 1885) : 19મી સદીના ગુજરાતના સંતકવિ અને યોગી. કવિ દલપતરામથી શરૂ થતા નવયુગનો પ્રભાવ ઝીલીને, નરસિંહ મહેતાથી દયારામ સુધીની ધર્મપ્રધાન સાહિત્યની પ્રાચીન પરંપરાને અનુસરનાર આ સંતકવિ ‘છોટમ’નું મૂળ નામ છોટાલાલ કાળિદાસ ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા છોટાલાલે…

વધુ વાંચો >