ચીમનલાલ વલ્લભરામ રાવલ

વિહાર (વિભાવના)

વિહાર (વિભાવના) : બૌદ્ધ ભિક્ષુઓનું નિવાસસ્થાન. ‘વિહાર’ શબ્દનો એક અર્થ થાય છે ‘એક સ્થળેથી બીજે સ્થળે જવું’ અને બીજો અર્થ થાય છે ‘નિવાસસ્થાન’. આજનું ‘બિહાર’ રાજ્ય એ શબ્દ બૌદ્ધ ‘વિહાર’ સાથે સંબંધિત છે. બુદ્ધપદ પ્રાપ્ત કર્યા પછી ગૌતમબુદ્ધે ધર્મ-ચક્ર-પ્રવર્તનને માટે ઉરૂવેલા (બોધિગયા), ઋષિપત્તન (સારનાથ), રાજગૃહ, કપિલવસ્તુ, શ્રાવસ્તી, વૈશાલી વગેરે સ્થળોએ…

વધુ વાંચો >

સંપ્રદાય

સંપ્રદાય : કોઈ એક વિચારધારાને અનુસરનારો વર્ગ. સામાન્ય રીતે કોઈ એક દાર્શનિક વિચારધારાને અનુસરનારા વર્ગ માટે ‘સંપ્રદાય’ શબ્દ પ્રયોજાય છે. સંપ્રદાય, મજહબ, પંથ વગેરે પર્યાયો છે. સંપ્રદાયો આચારભેદ, કર્મકાંડભેદ, માન્યતાભેદ અથવા વ્યક્તિ કે ગ્રંથના અનુસરણને કારણે અસ્તિત્વમાં આવે છે. सम्प्रदीयते यस्मिन् इति सम्प्रदाय​: । જેમાં આચાર, વિચાર, વ્યક્તિ, ગ્રંથ આદિને…

વધુ વાંચો >

સાધના

સાધના : સાધના એટલે ઇષ્ટ સિદ્ધિ માટેનો અતિત્વરાયુક્ત વ્યાપાર. સામાન્યત: ‘આરાધના’, ‘ઉપાસના’ અને ‘સાધના’ પર્યાય જેવા છે. આરાધનામાં ઇષ્ટને પ્રસન્ન કરવાનો શ્રદ્ધાયુક્ત પ્રયત્ન છે. ઉપાસનામાં ઇષ્ટની વધુ નજીક જવા માટે નવધા ભક્તિ કે વિશેષ ક્રિયાન્વિતિ અપેક્ષિત છે; જ્યારે સાધનાનો પથ અતિ દુર્ગમ છે. આ માટે ગુરુકૃપા, દીક્ષા, દીક્ષાવિધિ પછી ગુરુના…

વધુ વાંચો >