ગુણવંતરાય દેસાઈ

પારડી સત્યાગ્રહ

પારડી સત્યાગ્રહ : દેશના સામાજિક-આર્થિક પરિવર્તનની દિશામાં જનસમુદાય દ્વારા વલસાડ જિલ્લામાં થયેલ સત્યાગ્રહનો પ્રયોગ. પારડીનો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બર, 1953ના દિવસે શરૂ થયો અને 5 જુલાઈ, 1967ના દિવસે પૂરો થયો. આમ, આ સત્યાગ્રહ 14 વર્ષ ચાલ્યો. પારડીનું ભૂમિઆંદોલન એ દેશના કૃષિવિયક માળખામાં અહિંસક સત્યાગ્રહનો એક પ્રયોગ હતો. ગુજરાત રાજ્યના…

વધુ વાંચો >

પીટીટ મીઠુબહેન હોરમસજી

પીટીટ, મીઠુબહેન હોરમસજી (જ. 11 એપ્રિલ 1892, મુંબઈ; અ. 16 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની અને સમાજસેવિકા. મુંબઈના ધનાઢ્ય પારસી પરિવારમાં તેમનો જન્મ. હિંદના પહેલા બૅરોનેટ સર દીનશા માણેકજી તેમના વડદાદા થાય. મીઠુબહેનના પિતાનું નામ હોરમસજી અને માતાનું નામ પીરોજબાઈ હતું. તેમના કુટુંબના મૂળપુરુષ નસરવાનજી કાવસજી ઠીંગણા કદના હોવાથી ‘પીટીટ’…

વધુ વાંચો >

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્રાગ્-ઇતિહાસ

પ્રાગ્-ઇતિહાસ : પૃથ્વીના ગ્રહ ઉપર મનુષ્યનો ઉદભવ એ જીવસૃષ્ટિની એક રોમાંચક ઘટના છે. માણસ એ વિશે કુતૂહલ સેવતો આવ્યો છે અને વૈજ્ઞાનિક સંશોધનો પહેલાં એણે આ વિષયમાં અનેક અટકળો કરી છે. દંતકથાઓ ને ધર્મકથાઓમાં મનુષ્યજાતિની ઉત્પત્તિ વિશે રસપ્રદ કલ્પનાઓ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ઇતિહાસ વિષયક બુદ્ધિના ઉદય અને વિકાસ…

વધુ વાંચો >

ફિરંગી વસાહતો

ફિરંગી વસાહતો : ઈ. સ. 1453માં તુર્કોએ કૉન્સ્ટન્ટિનૉપલ જીતી લીધા બાદ યુરોપના લોકોને પૂર્વના દેશો તરફ જવાનો જમીન માર્ગ બંધ થઈ જવાથી, કેટલાક સાહસિક નાવિકોએ દરિયાઈ માર્ગો શોધવા માંડ્યા. સ્પેન અને પોર્ટુગલે નવા નવા મુલકો શોધી કાઢવાની પહેલ કરી. પોર્ટુગીઝ યા ફિરંગી લોકોએ પૂર્વ તરફ જવાના નવા જળમાર્ગો શોધ્યા. 1486માં…

વધુ વાંચો >