ઈસરદાસ

ઈસરદાસ

ઈસરદાસ (ઈ. 16મી સદી પૂર્વાર્ધ; અ. ઈ. 1566/સં. 1622, ચૈત્ર સુદ 9) : ચારણી કવિ. રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે ભાદ્રેસ/ભાદ્રેજ/ભાદ્રેચીમાં. તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે; પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી જણાતી નથી. એક પરંપરા એમનો જન્મ ઈ. 1459 (સં. 1515, શ્રાવણ સુદ 2,…

વધુ વાંચો >

ઈસરદાસ (નાગર)

ઈસરદાસ (નાગર) (સત્તરમી/અઢારમી સદી) : ‘ફુતૂહાતે આલમગીરી’ નામના ફારસી ઇતિહાસના લેખક. મૂળ ઉત્તર ગુજરાતના પાટણ શહેરના વતની. પ્રથમ, ગુજરાતના મુઘલ સૈન્યના કાઝી સમીઅબ્દુલ વહ્હાબની અને પાછળથી ગુજરાતના મુઘલ સૂબા શુજાઅતખાનની સેવામાં રહ્યા હતા. ઈસરદાસ નાગરે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયની પોતે તૈયાર કરેલી નોંધોના આધારે ઉક્ત ઇતિહાસપુસ્તકની રચના કરી હતી. ડૉ.…

વધુ વાંચો >