રાધાકૃષ્ણ, વેલુરી

January, 2003

રાધાકૃષ્ણ, વેલુરી (જ. 23 માર્ચ 1930, ચિરિવાડા, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની મદ્રાસ કૉલેજ ઑવ્ આર્ટસમાંથી અભ્યાસ કરી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. આ પછી શાંતિનિકેતન જઈ આચાર્ય નંદલાલ બોઝ પાસે ચિત્રકલાનો વધુ અભ્યાસ કર્યો. આ પછી આગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચિત્રકલામાં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

રાધાકૃષ્ણ બંગાળ શૈલીમાં જળરંગો વડે ગ્રામીણ પરિવેશનાં ચિત્રો માટે જાણીતા છે.

રાધાકૃષ્ણે ભોપાલ (1965), મછલીપટ્ટણમ્ (1974) અને હૈદરાબાદ(1975)માં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. મધ્યપ્રદેશના રાજભવનમાં તેમનાં ચિત્રો કાયમી સંગ્રહ પામ્યાં છે. તેલુગુ ભાષામાં કલાના ઇતિહાસ પર તેમણે પુસ્તક ‘કલોદન્તમ્’ લખ્યું છે. હાલ(2002)માં તેઓ ભોપાલમાં ચિત્રકલામાં વ્યસ્ત છે.

અમિતાભ મડિયા