પ્રકાશ-પુન:સક્રિયણ (photo-reactivation)

February, 1999

પ્રકાશ-પુન:સક્રિયણ (photo-reactivation) : પારજાંબલી કિરણોની અસર હેઠળ DNAમાં આવેલા થાયમિનના સંયોજનથી ઉદભવતા દ્વિલકોના વિઘટનથી DNAના અણુની પૂર્વસ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા. DNAને પુન:સક્રિય કરવાની આ ક્રિયાને આલ્બર્ટ કેલ્નર નામના વૈજ્ઞાનિકે 1949માં સૌપ્રથમ સૅક્કેરોમાયસિસમાં નિહાળી હતી. ર્દશ્ય-લંબાઈ-યુક્ત પ્રકાશકિરણોની હાજરીમાં પ્રકાશ-પુન:સક્રિયણ ઉત્સેચક, DNAમાં ઉદભવેલ આ ક્ષતિને દૂર કરે છે. પરિણામે તે ફરીથી સક્રિય બને છે. માનવી સહિત મોટાભાગનાં સજીવોમાં આ ઉત્સેચક જોવા મળે છે. phr જનીનને લીધે શરીરમાં આ ઉત્સેચકનું સંશ્લેષણ થાય છે, જે થાયમાઇન ઍડિનાઇન દ્વિલકો વચ્ચે આવેલા બંધનું વિમોચન કરે છે.

હરિવદન હીરાલાલ પટેલ