દીર્ઘતમા : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. ઋગ્વેદનાં કુલ 10 મંડળોમાંથી ફક્ત પહેલા મંડળમાં જ તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. ઋગ્વેદના પહેલા મંડળનાં 140થી 164 સુધીનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ દીર્ઘતમા છે. આ 25 જેટલાં સૂક્તોમાં તેમણે અગ્નિ વગેરે દેવોની સ્તુતિ કરી છે. દીર્ઘતમા નામના ઋષિનું વિષ્ણુસૂક્ત 1/154 ખૂબ જ જાણીતું છે. દીર્ઘતમા ઋષિ વિશ્વામિત્રના વંશમાં થયા. પુરાણો પ્રમાણે તેઓ ગોધર્મપ્રવર્તક હતા.

પ્ર. ઉ. શાસ્ત્રી