ખંડકથા : સંસ્કૃત ગદ્યકાવ્યનો એક પેટાપ્રકાર. સંસ્કૃતના બે પ્રસિદ્ધ પ્રકારો કથા અને આખ્યાયિકામાંથી કથાનો પેટાપ્રકાર તે ખંડકથા. અગ્નિપુરાણમાં તેનું લક્ષણ આ પ્રમાણે છે – सा कथा नाम तद्गर्भे निबध्नीयात् चतुष्पदीम् । भवेत् खण्डकथा ।। ‘કથાની અંદર ચતુષ્પદીની રચના કરવામાં આવે ત્યારે તે ખંડકથા બને છે.’ અગ્નિપુરાણે કોઈ ઉદાહરણ ન આપ્યું હોવાથી તેમજ चतुष्पदीના બે અર્થો ‘પદ્ય’ અને ‘ચોપાઈ’માંથી એક પણ અર્થ અહીં બંધબેસતો ન હોવાથી ખંડકથાનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી. છતાં નાની કલ્પિત વૃત્તાન્તવાળી ગદ્યકથામાં વચ્ચે વચ્ચે ચતુષ્પદી પદ્ય હોય તે ખંડકથા એમ ગણી શકાય.

મકરન્દ બ્રહ્મા