ક્રાંતિવૃત્તનું તિર્યક્ત્વ

ક્રાંતિવૃત્તનું તિર્યક્ત્વ : આકાશી વિષુવવૃત્ત સાથે ક્રાંતિવૃત્ત દ્વારા બનાવાતો ખૂણો. તે હંમેશાં એકસરખો રહેતો નથી. એનું તિર્યક્ત્વ દર વર્ષે 0.47” જેટલું બદલાય છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં તે 23° 50′, ઈ. સ.ની નવમી સદીમાં 23° 35′ અને 1990માં તે 23° 26′ 28” હતું. 2000માં તે ઘટીને 23° 26′ 21″ થયું. આંદોલિત ગતિવાળું ક્રાંતિવૃત્તનું તિર્યક્ત્વ દસબાર હજાર વર્ષ સુધી ઘટ્યા બાદ પાછું વધવા લાગશે.

છોટુભાઈ સુથાર