કવચ : ઊડિયા કાવ્યપ્રકાર. આ ઊડિયા ભક્તિકાવ્યમાં ઇષ્ટદેવની સ્તુતિ અને ઇષ્ટદેવને પોતાનું રક્ષણ કરવા વિનંતી હોય છે. જે દેવની સ્તુતિ કરતાં રક્ષણ માગ્યું હોય તે દેવના નામની જોડે ‘કવચ’ શબ્દ જોડાય છે, જેમ કે ‘હનુમાનકવચ’, ‘ચંડીકવચ’, ‘વિષ્ણુકવચ’, ‘જગન્નાથકવચ’, ‘દુર્ગાકવચ’, ‘શિવકવચ’, ‘રામકવચ’ ઇત્યાદિ. કવચ એટલે બખ્તર. એ કવિતાપાઠ ભક્ત માટે કવચની ગરજ સારે છે એટલે કે અનિષ્ટોથી એનું રક્ષણ કરે છે.

વર્ષા દાસ