ઍસ્થેનોસ્ફિયર : ભૂમધ્યાવરણના ત્રણ પેટાવિભાગો(શિલાવરણ, ઍસ્થેનોસ્ફિયર અને મેસોસ્ફિયર)માંનો એક. ભૂકંપશાસ્ત્રીય અભ્યાસ દ્વારા પૃથ્વીનાં પડોની ભૌતિક ગુણધર્મોની ભિન્નતાને આધારે સપાટીથી ભૂગર્ભ સુધી પોપડો, ભૂમધ્યાવરણ (મધ્ય વિભાગ)

અને ભૂકેન્દ્રીય ભાગ એવા ત્રણ ભાગ પાડેલા છે. ભૂપૃષ્ઠની નીચે તરફ 100 કિમી.થી 250 કિમી. સુધી આવેલ ઍસ્થેનોસ્ફિયર, તેની ઉપરના શિલાવરણ અને નીચેના મેસોસ્ફિયર કરતાં ઓછો મજબૂત અને ઓછો ર્દઢ હોય છે. તે પ્રમાણમાં નબળો હોવાથી S તરંગો તરીકે ઓળખાતાં ઓછી ગતિવાળાં ભૂકંપીય મોજાં તેમાં સમાઈ જાય છે.

ગિરીશભાઈ પંડ્યા