Folk Art
પરમાર, ખોડીદાસ ભાયાભાઈ
પરમાર, ખોડીદાસ ભાયાભાઈ (જ. 31 ઑગસ્ટ 1930, ભાવનગર; અ. 31 માર્ચ 2004) : ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાવિદ અને લોકશૈલીમાં સર્જન કરનાર ચિત્રકાર. માતા વખતબા અને પિતાને તેમના એકના એક દીકરા ખોડીદાસને ભણાવીગણાવી બાજંદો બનાવવાની હોંશ હોવાથી દીકરાને ભણવા બેસાડ્યો. દીકરા ખોડીદાસે ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરી માતાપિતાની…
વધુ વાંચો >પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો
પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો : પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષોમાં પ્રાપ્ત પાત્રો પર દોરાયેલાં ચિત્રો. ઈ. પૂ. આશરે 2000 વર્ષ પૂર્વે નાશ પામેલી વસાહતો હડપ્પા તેમજ લોથલના ટીંબાના ખોદકામમાંથી મળેલાં માટીનાં વાસણો તેમજ પુષ્કળ ઠીકરાં ઉપર જે ચિત્ર-આલેખો થયા છે તેનો અંકોડો થોડાઘણા ફેરફારો સાથે ગુફાકાલીન ભીંતચિત્રોની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનું શક્ય લાગે…
વધુ વાંચો >પ્રાણીપૂજા
પ્રાણીપૂજા : માનવ-સંસ્કૃતિના વિકાસમાં અગ્નિ, ખેતી, ચક્ર અને શઢવાળી નાવ – એ ચાર મહત્વની શોધ ગણાય છે. આ ચાર શોધોને કારણે માનવજીવનમાં ક્રાંતિકારી આર્થિક પરિવર્તન આવ્યું. ખેતીની શોધના કારણે ખોરાકની શોધમાં આદિ માનવ જે ભટકતું જીવન ગુજારતો હતો તે સ્થાયી જીવન ગુજારવા લાગ્યો. ખેતીને કારણે તે પશુઓને પાળવા લાગ્યો. ખોરાક…
વધુ વાંચો >ફટાણાં
ફટાણાં : લગ્નગીતોનો એક પ્રકાર. લગ્ન-પ્રસંગે ગવાતાં લોકગીતો તે લગ્નગીતો. ફટાણાં તેનો એક પ્રકાર હોઈ લોકસાહિત્યનો ગીતપ્રકાર છે. ‘ફટ્’ પરથી ‘ફટાણું’ શબ્દ આવ્યો છે. સામા પક્ષને બે ઘડી ‘ફટ્’ કહેવા, ફિટકાર આપવા ગવાતું ગાણું કે ગીત તે ફટાણું. વ્યવહારમાં તો ફટાણું એટલે ગાળનું ગાણું. રાજસ્થાનમાં પણ ફટાણાં ‘શાદી-બ્યાહ કી ગાલિયાં’…
વધુ વાંચો >બજાણિયો
બજાણિયો : અંગકસરત આદિના પ્રયોગો દ્વારા મનોરંજન કરનાર ગુજરાતનો લોકકલાકાર. પ્રાચીન ભારતમાં 14 વિદ્યા અને 64 કળાઓ જાણીતી હતી. તેમાં નટ બજાણિયાની વિદ્યાને નવમી ગણવામાં આવી છે : ‘નટવિદ્યા નવમી કહું, ચડવું વૃક્ષ, ને વાંસ; લઘુ ગુરુ જાણવા, ગજ, ઊંટ ને અશ્વ.’ ગુજરાતના ગામડાગામમાં અઢારે વરણનું મનોરંજન કરનાર નટ બજાણિયા…
વધુ વાંચો >બહુરૂપી (લોકકલા)
બહુરૂપી (લોકકલા) : ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામેલી મનોરંજન માટેની એક લોકકલા. ‘બહુરૂપી’ એટલે ઘણાં રૂપો ધારણ કરનાર. એ જાતભાતના વેશ સાથે તદનુરૂપ અભિનય પણ કરે છે. આવા કલાકારો–બહુરૂપીઓની એક જાતિ છે. જૂના વખતમાં મનોરંજનનાં માધ્યમો બહુ ઓછાં હતાં ત્યારે બહુરૂપીઓએ લોકજીવનને ગમ્મતના ગુલાલ દ્વારા હર્યુંભર્યું રાખવામાં મૂલ્યવાન ફાળો આપ્યો…
વધુ વાંચો >બાઠારી, જયનાચરણ
બાઠારી, જયનાચરણ (જ. 1 જુલાઈ 1940, દિમા, જિ. હસાઓ, અસમ) : દિમાસા સમુદાયના લોકસંગીત અને પરંપરાગત વાદ્યોને લોકપ્રિય બનાવનાર અસમ રાજ્યના હાફલોંગ ગામના નિવૃત્ત સરકારી કર્મચારી. બાઠારીને નાનપણથી જ દિમાસા લોકસંગીત પ્રત્યે આકર્ષણ અને સમર્પણની ભાવના હતી. પોતાની અથાગ મહેનત અને દૃઢ નિશ્ચયના કારણે તેઓ ગાયક બન્યા. આકાશવાણી સિલચર, હાફલોંગ,…
વધુ વાંચો >બોરો, અનિલકુમાર
બોરો, અનિલકુમાર (જ. 9 ડિસેમ્બર 1961, કહિતામા, અસમ) : કવિ, લોકસાહિત્યકાર, અનુવાદક, શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યિક વિવેચક. બોરોએ ગુવાહાટી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ લોકસાહિત્ય સંશોધન વિભાગમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે 1988માં ડિમોરિયા કૉલેજ ખેતરી ખાતે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેઓ 2002ની સાલમાં ગુવાહાટી…
વધુ વાંચો >ભરતકામ
ભરતકામ : ગુજરાતની એક તળપદી હસ્તકલા. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. લોકનારીની કળારસિકતા અને સૌંદર્યભાવનાનાં મૂળ આવી કલાઓમાં જોવા મળે છે. રૂપાળા રંગોથી ઓપતું ર્દશ્ય–પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે. દરબાદરગઢમાં, ખેડવાયા વરણનાં દૂબળાં-પાતળાં ખોરડાંઓમાં કે માલધારીઓના…
વધુ વાંચો >ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા
ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા (જ. 1 જૂન, 1929 મોરનહલ્લી, જિ. કોપ્પલ, કર્ણાટક) : કઠપૂતળી કલા તોગાલુ ગોમ્બેયાતાના વિશ્વપ્રસિદ્ધ કલાકાર. કર્ણાટકની વિચરતી જનજાતિની કઠપૂતળી કલાકાર શિલ્લેક્યતારાએ ચામડાની કઠપૂતળીના પરંપરાગત સ્વરૂપનું જતન અને સંવર્ધન કર્યું છે. તેઓ છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી તોગાલુ ગોમ્બેયાતા ભજવે છે. આ એક પરંપરાગત કલાસ્વરૂપ છે. આ કઠપૂતળી…
વધુ વાંચો >