હિના શુક્લ

રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ

રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ (જ. 17 જૂન 1935) : પત્રકારત્વ, શિક્ષણ અને સામાજિકક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કરનાર. 2025ના પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત શૈક્ષણિક ટ્રસ્ટ ‘સુબ્બાલક્ષ્મી લક્ષ્મીપતિ’ ફાઉન્ડેશનના અધ્યક્ષ. તેમણે તિરુવનંતપુરમની ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી રસાયણવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે કાર્ડિફ યુનિવર્સિટીમાંથી ન્યૂઝ પેપર મૅનેજમેન્ટનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી. તેમણે 1956માં તમિળ સમાચારપત્ર ‘દિનમલાર’(Dinamalar)માં જાહેરાત…

વધુ વાંચો >

લામા લોબજંગ

લામા લોબજંગ (જ. 1 જાન્યુઆરી 1930; અ. 16 માર્ચ 2024) : અત્યંત પ્રેરણાદાયી, અસાધારણ વ્યક્તિત્વવાળા હિમાલયના લદ્દાખ ક્ષેત્રના બાઘ ભિક્ષુ. જેમને લદ્દાખવાસીઓની અવિરત સેવા અને નિઃસ્વાર્થ ભાવના માટે 2025નો મરણોત્તર પદ્મશ્રી મળેલ છે. લામા બોલજંગનો જન્મ લેહ લદ્દાખના કાઉ પરિવારમાં થયો હતો. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ(IBC)ના મહાસચિવ તરીકે સેવા આપનારા આ…

વધુ વાંચો >

શીન કાફ નિઝામ

શીન કાફ નિઝામ (26 નવેમ્બર 1945, જોધપુર) : પ્રતિષ્ઠિત ઉર્દૂ સમીક્ષક, કવિ અને સાહિત્ય સંપાદક. શીન કાફ નિઝામ તેમનું પેન નામ છે. તેમનું મૂળ નામ શિવ કિસન બિસ્સા છે. તેઓ એક મારવાડી હિંદુ પરિવારમાં જન્મેલા હોવા છતાં ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષામાં પણ નિપુણ હતા. તેમણે વ્યાવસાયિક કારકિર્દી વીજ વિભાગમાં…

વધુ વાંચો >

શુક્લ, તુષાર દુર્ગેશ

શુક્લ, તુષાર દુર્ગેશ (જ. 29 એપ્રિલ 1955, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત કવિ, લેખક, વાર્તાકાર, સંવાદકાર, વક્તા, નાટ્યલેખક, અભિનેતા, મંચ સંચાલક, યુવાપેઢીના માર્ગદર્શક અને પ્રશાસક. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે તેમણે આપેલા યોગદાન માટે તુષાર શુક્લને ભારત સરકાર તરફથી 2025માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. સર્જનાત્મક વલણ તેમને વારસામાં મળ્યું…

વધુ વાંચો >

સિએમલે, ડેવિડ આર.

સિએમલે, ડેવિડ આર. (જ. 22 જાન્યુઆરી 1953, મુતરાપુર, આસામ ) : ઉત્તર-પૂર્વ ભારતના ઇતિહાસ અને શિક્ષણજગતમાં વિશેષ યોગદાન આપનારા ભારતના જાણીતા ઇતિહાસકાર અને શિક્ષણવિદ. જેમને 2025માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે શિલોંગ સ્થિત સેંટ એડમંડ કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે 1976માં એમ.એ. અને 1980માં એમ.ફીલ પૂરું કર્યું. પછી 1985માં…

વધુ વાંચો >