બંદીર આત્મકથા

બંદીર આત્મકથા

બંદીર આત્મકથા : ઊડિયા કૃતિ. તેના કર્તા ઓરિસાના સંતકવિ ગોપબંધુ દાસ (1877–1928) ભક્તકવિ અને સ્વાતંત્ર્યસેનાની હતા. એક તરફ એ જેમ ઈશ્વરભક્તિ તરફ વળેલા હતા તેમ બીજી તરફ ગાંધીજીના પ્રભાવથી એ અસહકારના આંદોલનમાં પણ સક્રિય હતા. 1922થી 1925 સુધી એમણે જેલવાસ ભોગવેલો. એમને કટકની જેલમાંથી બિહારની હજારીબાગની જેલમાં લઈ જતા હતા…

વધુ વાંચો >