૮.૧૮

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમથી ડિથિરૅમ્બ

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ (Law of partial pressures) : બે અથવા વધુ વાયુઓના મિશ્રણમાં રહેલ પ્રત્યેક વાયુનો જથ્થો, તેનું દબાણ અને વાયુમિશ્રણના કુલ દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ. બ્રિટિશ રસાયણવિજ્ઞાની જ્હૉન ડાલ્ટને આ નિયમ 1801માં રજૂ કર્યો હોવાથી તેને ડાલ્ટનનો નિયમ પણ કહે છે. આ નિયમ મુજબ ‘એકબીજા સાથે પ્રક્રિયા…

વધુ વાંચો >

ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત

ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત : અંગ્રેજ રસાયણવિદ જ્હૉન ડાલ્ટને 1803માં એક સાર્વજનિક વ્યાખ્યાનમાં અને 1808માં ‘એ ન્યૂ સિસ્ટિમ ઑવ્ કેમિકલ ફિલૉસૉફી’માં દ્રવ્યના બંધારણ અંગે રજૂ કરેલો સિદ્ધાંત. તેના અભિગૃહીતો (postulates) નીચે પ્રમાણે છે : પ્રત્યેક તત્વ પરમાણુ (atom) તરીકે ઓળખાતા અત્યંત નાના, અવિભાજ્ય કણોનું બનેલું હોય છે. એક જ તત્વના પરમાણુઓનાં…

વધુ વાંચો >

ડાલ્ટન યોજના

ડાલ્ટન યોજના : 8થી 12 વર્ષની વયનાં બાળકોના શિક્ષણ માટેની એક યોજના. અમેરિકામાં 1920માં કુમાર હેલન પાર્કહર્સ્ટે મૅસેચૂસેટ્સ રાજ્યના ડાલ્ટન ગામમાં બાલવિદ્યાપીઠની પાઠશાળામાં આ યોજનાનો પ્રથમ પ્રયોગ કરેલો. ડાલ્ટન ગામને કારણે આ યોજના ડાલ્ટન પ્રયોગશાળા યોજના નામે જાણીતી થઈ હતી. આ સમય પહેલાં શાળાઓમાં ગોખણપટ્ટી અને સોટી દ્વારા શિક્ષણ અપાતું…

વધુ વાંચો >

ડાલ્સ, જી. એફ.

ડાલ્સ, જી. એફ. (જ. 1927; અ. 18 એપ્રિલ 1992) : વિખ્યાત અમેરિકન પુરાતત્વવેત્તા. તેમનું સમગ્ર જીવન પુરાવસ્તુનાં વિવિધ ક્ષેત્રોનાં અન્વેષણો અને પ્રકાશનોમાં વીત્યું છે. 1953માં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં તે જોડાયા અને મેસોપોટેમિયાની પૂતળીઓ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. 1957થી 1959 સુધી તેઓ બગદાદ સ્કૂલમાં હતા ત્યાં અબ્બાસ બંદરના વિસ્તારમાં અને પાકિસ્તાનના…

વધુ વાંચો >

ડાહ્યાભાઈ ધોળશાજી

ડાહ્યાભાઈ ધોળશાજી (જ. 19 માર્ચ 1867, અમદાવાદ; અ. 30 એપ્રિલ 1902, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. તખલ્લુસ ‘નવીન’. જૈન વીશા ઓસવાળ જ્ઞાતિના શ્રીમંત ઝવેરી કુટુંબમાં જન્મ. પિતાનો વ્યવસાય ઝવેરાતનો. 1885માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. પછી ગુજરાત કૉલેજમાં દાખલ થયા. એક વર્ષ બાદ અભ્યાસ છોડ્યો.  1884માં તેમનાં  પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમને…

વધુ વાંચો >

ડાહરેનડોર્ફ, રાલ્ફ

ડાહરેનડોર્ફ, રાલ્ફ (જ. 1 મે, 1929, હેમ્બર્ગ, જર્મની; અ. 17 જૂન 2009, કોલોજન, જર્મની) : જાણીતા જર્મન સમાજશાસ્ત્રી. કિશોરાવસ્થા દરમિયાન રાલ્ફે રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. નાઝીઓના રાજકીય વિરોધી હોવાને નાતે કિશોર ડાહરેનડોર્ફને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયા હતા. રાજકારણની આવી તાલીમ તેઓને સમગ્ર કારકિર્દી દરમિયાન ઉપયોગી બની. પાછળથી પશ્ચિમ જર્મનીની ધારાસભા…

વધુ વાંચો >

ડાંગ

ડાંગ : ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો 20°-33´ થી 21°-5´ ઉ. અ. અને 73°-28´ થી 73°-56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 59 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 50 કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ 1764 ચો.કિમી. છે. જિલ્લામાં જિલ્લામથક…

વધુ વાંચો >

ડાંગર

ડાંગર : એકદલા (monocot) વર્ગના પોએસી કુળની વનસ્પતિ. સં. व्रीहि; हिं. चावल; મરાઠી तांदुळ; કન્નડ અક્કિ; શાસ્ત્રીય નામ Oryza sativa L. (એશિયા) અને O. glaberrima (આફ્રિકા). અણછડ અને ઉકાળેલ ડાંગરમાંથી બનાવેલ ચોખા ભૂખરા રંગના હોય છે. પૉલિશ કરવાથી છડેલ દાણા સફેદ બને છે. ડાંગર અતિશય પ્રાચીન કાળનો પાક છે. તેનો…

વધુ વાંચો >

ડાંગે, શ્રીપાદ અમૃત

ડાંગે, શ્રીપાદ અમૃત (જ. 10 ઑક્ટોબર 1899, નાસિક; અ. 22 મે, 1991, મુંબઈ) : ભારતીય સામ્યવાદી પક્ષના વરિષ્ઠ નેતા અને ભારતમાં કામદાર આંદોલનના પ્રણેતા. જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં. પિતા સૉલિસિટરની ઑફિસમાં કારકુન હતા. તેમણે  શાળાનો અભ્યાસ નાસિક તેમજ મુંબઈમાં કર્યો. 1918માં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. તેમના…

વધુ વાંચો >

ડાંડિયો

ડાંડિયો (1864) : ઓગણીસમી સદીમાં ગુજરાતના સુધારક કવિ નર્મદ અને તેમના પાંચ સાથીઓએ કાઢેલું સામાજિક સુધારણાનું પત્ર. પ્રથમ પખવાડિક, પછી સાપ્તાહિક. નર્મદ અને તેમના સાથીઓ ગિરધરલાલ દયાળદાસ કોઠારી, નગીનદાસ તુલસીદાસ મારફતિયા, કેશવરામ ધીરજરામ, શ્રીધર નારાયણ અને ઠાકોરદાસ આત્મારામે મળીને એડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું સામયિક કાઢવાનો વિચાર કરેલો તેના પરિણામે ‘ડાંડિયો’ પાક્ષિક…

વધુ વાંચો >

ડિટ્રૉઇટ

Jan 18, 1997

ડિટ્રૉઇટ : યુ.એસ.ના મિશિગન રાજ્યનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 42° 20’ ઉ. અ. અને 83° 03’ પ. રે.. રાજ્યની દક્ષિણ-પૂર્વ દિશામાં તે ડિટ્રૉઇટ નદીના પશ્ચિમ કાંઠા પર વસેલું છે. નગરની વસ્તી 10,27,974 તથા મહાનગરની વસ્તી 37,34,090 (2010) છે. નગરનો ભૌગોલિક વિસ્તાર 1337 ચોકિમી. જેટલો છે. તેનું સરેરાશ…

વધુ વાંચો >

ડિથિરૅમ્બ

Jan 18, 1997

ડિથિરૅમ્બ : ગ્રીક પરંપરાના સ્તોત્રનું સમૂહગાન. તેનો ઉદભવ ઈ. સ. પૂ. આશરે સાતમી સદીમાં થયો મનાય છે અને પછી તેમાં ત્રણસોએક વર્ષ સુધી ઉત્તરોત્તર ફેરફાર થતા રહ્યા. જનસમાજના શ્રમિક વર્ગો ખાસ કરીને કૃષિકારો લણણીના સમય દરમિયાન ડાયોનિસસનું આરાધન કરતા. દેવ ડાયોનિસસની યજ્ઞવેદીની પ્રદક્ષિણા કરતું નર્તકવૃંદ જનસમાજના હર્ષોલ્લાસ અને રંગરાગના દેવનું…

વધુ વાંચો >