થોમસ પરમાર

ઉષ્ણીશ

ઉષ્ણીશ : બૌદ્ધ સ્તૂપોને ફરતી વેદિકા(railing)નો સૌથી ઉપરનો ભાગ. વેદિકાના બે બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી પીઢો (bars) સાલવીને ગોઠવવામાં આવતી. પીઢને સૂચિ પણ કહે છે. સ્તંભોની હારને આવરી લે તે રીતે સ્તંભોની સૌથી ઉપર આડી પીઢ મૂકવામાં આવતી તેને ઉષ્ણીશ (coping stone) કહે છે. પીઢના તળિયે સ્તંભના અંતર પ્રમાણે…

વધુ વાંચો >

ઑર્ડર

ઑર્ડર : પશ્ચિમના શિષ્ટ સ્થાપત્યમાં સ્તંભોની વિવિધ રચના માટે વપરાતો શબ્દ. સામાન્ય રીતે સ્તંભ કુંભી (base), સ્તંભદંડ (shaft) અને શિરાવટી(capital)નો બનેલો હોય છે. તે સુશોભિત અને પ્રમાણસર હોય છે. સ્તંભોની આ શૈલી ડૉરિક, ટસ્કન, આયોનિક, કોરિન્થિયન અથવા કૉમ્પોઝિટ છે. આ સર્વમાં ટસ્કન શૈલીના સ્તંભો સર્વથી સાદા છે અને તે સંભવત:…

વધુ વાંચો >

કેરળનું સ્થાપત્ય

કેરળનું સ્થાપત્ય : દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવેલો કેરળ એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે પ્રસિદ્ધ છે. મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કરીને બનાવેલાં ત્યાનાં મકાનોનાં છાપરાં સીધા ઢોળાવવાળાં હોય છે. પંદરમી સદીમાં બાંધેલાં આવાં મકાનો હજુ સારી સ્થિતિમાં જોવા મળે છે. કેરળમાં ગુફાઓ, મંદિરો, દેવળો, સિનેગોગ, મસ્જિદો, મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.…

વધુ વાંચો >

ગર્ભગૃહ

ગર્ભગૃહ : મંદિરના જે ભાગમાં આરાધ્ય (સેવ્ય) પ્રતિમા, પ્રતીક કે ધર્મગ્રંથની સ્થાપના કરવામાં આવે છે તે ‘ગર્ભગૃહ’ કહેવાય છે. મુખ્ય પ્રતિમાની સંખ્યા એક કરતાં  વિશેષ હોય તો એકથી વધુ ગર્ભગૃહ રચવામા આવે છે. ગર્ભગૃહ ગભારો કે મૂલસ્થાન તરીકે પણ ઓળખાય છે. એક ગર્ભગૃહવાળા મંદિરને એકાયતન, બે ગર્ભગૃહવાળા મંદિરને દ્વયાતન કે…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત ઇતિહાસ પરિષદ

ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું…

વધુ વાંચો >

નાગરશૈલી

નાગરશૈલી : ભારતના ઉત્તર ભાગમાં પ્રચલિત રચનામૂલક મંદિર-સ્થાપત્યની શૈલી. પશ્ચિમમાં તે ગુજરાતથી પૂર્વમાં ઓરિસા સુધી તથા ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કર્ણાટક સુધી પ્રસરી હતી. નાગરશૈલીમાં વિકસેલી પ્રાંતીય શૈલીઓમાં થોડું વૈવિધ્ય હોવા છતાં નાગરશૈલીનાં મુખ્ય અંગો દરેક પ્રાંતમાં સમાન રહ્યાં છે. આ શૈલીની વિશેષતાઓમાં લગભગ અર્ધગોળાકાર જેવું મંડપોનું તથા લગભગ શંકુ આકારનું…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડાનો સ્તૂપ

નાગાર્જુનકોંડાનો સ્તૂપ : દક્ષિણ ભારતના વિશેષતઃ કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના પ્રદેશ(વેંગી પ્રદેશ)નું જાણીતું બૌદ્ધ સ્થાપત્ય. આ સ્થળ આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પાલનડ તાલુકામાં કૃષ્ણા નદીને કાંઠે આવેલું છે. 1927થી 1931 દરમિયાન અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી કેટલાક સ્તૂપો, વિહારો, મહેલ, કિલ્લાઓ વગેરેના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ સ્થળેથી 9…

વધુ વાંચો >

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (જ. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ, લિપિવિદ્યા, સ્થાપત્ય, શિલ્પ અને સિક્કાશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન. તેમના પિતાશ્રી આબુરોડ સ્ટેશને પોસ્ટમાસ્ટર તરીકેની સેવા આપતા હતા. પિતાશ્રીના અવસાન બાદ વિધવા માતા શાંતાબહેને સંતાનો સાથે મહેમદાવાદ મુકામે નિવાસ કર્યો. પ્રવીણચંદ્રે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. 1955માં…

વધુ વાંચો >

પીઠ

પીઠ : મંદિરના ઊર્ધ્વમાનનો સૌથી નીચેનો ભાગ જેની ઉપર મંદિર સ્થિત છે. પીઠની બહારની ત્રણે બાજુઓને વિવિધ આડા થરો વડે અલંકૃત કરવામાં આવે છે. મંદિરની ઊંચાઈને ધ્યાનમાં રાખીને આડા થરોના ચોક્કસ માપ નક્કી કરેલાં છે. સૌથી નીચે ભીટ્ટનો થર હોય છે. ભીટ્ટની સંખ્યા એક, બે કે ત્રણ હોઈ શકે. તે…

વધુ વાંચો >