એસ્થર સોલોમન

અજિત કેસકમ્બલ

અજિત કેસકમ્બલ (અજિત કેશકંબલી) : બુદ્ધના સમકાલીન ચિંતક. બુદ્ધના ઉદયનો સમય તત્ત્વચિંતનના ઇતિહાસમાં ઊથલપાથલનો સમય હતો એમ લાગે. તત્ત્વચિંતનમાં જાણે કે જુવાળ આવ્યો હતો. ક્રાન્તિકારી વિચારો અસ્તિત્વમાં આવ્યા, જે એક રીતે તો ઔપનિષદ વિચારના આત્યંતિક પરિણામસ્વરૂપ હતા એમ કહી શકાય. જૈન ગ્રંથોમાં ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનિકવાદ તથા વૈનયિકવાદમાં સમાવિષ્ટ કરી શકાય…

વધુ વાંચો >

આન્વીક્ષિકી

આન્વીક્ષિકી : પ્રાચીન ભારતની 14માંની એક વિદ્યા. અન્વીક્ષાથી પ્રવૃત્ત થાય તે, ન્યાયવિદ્યા. ધર્મસૂત્રોમાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (ઈ. પૂ. 400) રાજાના વિદ્યાભ્યાસ માટે ત્રયી આન્વીક્ષિકી વાર્તા (કૃષિ, પશુપાલન, વાણિજ્ય) અને દંડનીતિ – એ વિષયોની ભલામણ કરી છે. ગૌતમપ્રણીત ન્યાયસૂત્રના પ્રથમ સૂત્રમાં ન્યાયદર્શનના 16 પદાર્થો ગણાવ્યા છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન…

વધુ વાંચો >

કાલવાદ

કાલવાદ : ભારતીય દર્શનો અનુસાર કાલ વિશે પ્રવર્તતા વિભિન્ન મતો. કાલનું મહત્વ સામાન્ય માનવ સ્વીકારે છે તેમ તત્વચિંતકોએ પણ તેને વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરી છે. કુદરતમાં બધું કાલ અનુસાર જ થાય છે; માનવજીવનમાં પણ કાલ અનુસાર પરિવર્તન આવ્યા કરે છે. અથર્વવેદ(19.53, 54)માં કાલને પ્રજાપતિની જેમ પરમ સર્જક-ઉત્પાદક શક્તિ માનીને તેની…

વધુ વાંચો >

કુમુદચંદ્ર

કુમુદચંદ્ર (બારમી સદી) : કર્ણાટકના રાજા અને જયસિંહ સિદ્ધરાજના માતામહ જયકેશીના ગુરુ જૈન મુનિ. પ્રભાવકચરિત અનુસાર કુમુદચંદ્ર દાક્ષિણાત્ય હતા. કુમુદચંદ્ર વાદવિદ્યામાં કુશલ હતા અને તેમના વિપક્ષીઓમાં બૌદ્ધો, ભાટ્ટ મીમાંસકો, શંકરાચાર્યના અનુયાયીઓ અને કાપિલો(સાંખ્યો)નો સમાવેશ હતો. યશશ્ચન્દ્રના ‘મુદ્રિતકુમુદચંદ્ર’ રૂપકનું કથાવસ્તુ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિ વચ્ચે થયેલી ચર્ચા (પારિભાષિક નામકથા,…

વધુ વાંચો >

કેવલાદ્વૈતવાદ (વેદાંત)

કેવલાદ્વૈતવાદ (વેદાંત) ઋગ્વેદના અને અથર્વવેદના સમયથી અદ્વૈતનો ખ્યાલ તત્વચિંતકોમાં સ્થિર થઈ ગયો હતો, જે ઉપનિષત્કાલમાં સારી રીતે વિકાસ પામ્યો. ઉપનિષદોમાં બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ અંગે વિસ્તારથી ઉપદેશ છે તેમજ જીવને બ્રહ્મના અંશરૂપે વર્ણવ્યો છે. એક બાજુએ બ્રહ્મનું પ્રતિપાદન સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વ રૂપ-રસ-આદિથી યુક્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય જેમાં અને જેને લઈને…

વધુ વાંચો >

ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ) ભગવદગીતા સ્વસ્થ જીવન જીવવાની અને સંસાર તરી જવાની કળા શીખવતો ગ્રંથ. મહાભારતના ભીષ્મ પર્વમાં તેનો સમાવેશ કરાયો છે. 700 શ્લોકનો આ ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને પાંડવ ભાઈઓમાંના અર્જુનને યુદ્ધભૂમિ પર પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં હતાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે આપ્યો…

વધુ વાંચો >

ગીતારહસ્ય

ગીતારહસ્ય (1915) : લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ભગવદગીતા વિશે મરાઠીમાં લખેલું સુપ્રસિદ્ધ ભાષ્ય. ભારતના સ્વાતંત્ર્યના સંઘર્ષમાં તેમનો જેટલો મહત્વનો ફાળો છે તેટલું જ ઉજ્જ્વળ તેમનું વિદ્યાક્ષેત્રે પણ પ્રદાન છે. તેમણે આર્યોની મૂળ ભૂમિ, વેદાંગ જ્યોતિષ અને વેદોની પ્રાચીનતા વગેરે વિષયો પર ઘણું સંશોધનાત્મક લખાણ આપ્યું છે તેમજ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન તેમને…

વધુ વાંચો >

ગોવિંદાચાર્ય

ગોવિંદાચાર્ય : ગોંડપાદાચાર્યના શિષ્ય. કેવલાદ્વૈત મતની ગુરુશિષ્યપરંપરામાં નારાયણ, બ્રહ્મા, વસિષ્ઠ, શક્તિ, પરાશર, વ્યાસ, શુક, ગૌડપાદ, ગોવિંદ અને શંકરાચાર્ય – એ ક્રમમાં નામાવલિ છે. આ પરંપરામાં નારાયણ અને બ્રહ્મા દૈવ કોટિના ગુરુ છે. વસિષ્ઠ, શક્તિ, પરાશર અને વ્યાસ આર્ષ કોટિના છે. શુક, ગૌડપાદ અને ગોવિંદ સિદ્ધ કોટિના છે. આ પરંપરામાં આદ્ય…

વધુ વાંચો >

ગૌડપાદાચાર્ય

ગૌડપાદાચાર્ય : આદ્ય શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્યના પણ ગુરુ અર્થાત્ શંકરાચાર્યના પરમ ગુરુ. તેમની પાસેથી શંકરાચાર્યે બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્તોનું જ્ઞાન મેળવ્યું હતું. માંડૂક્યકારિકાભાષ્ય પરની ટીકામાં આનંદગિરિ જણાવે છે કે ગૌડપાદ નર-નારાયણના પવિત્ર ધામ બદરિકાશ્રમમાં રહીને ધ્યાન ધરતા હતા તેથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણે તેમને ઉપનિષદોનું રહસ્યાત્મક જ્ઞાન આપ્યું. શક્ય છે કે તેઓ…

વધુ વાંચો >

ધર્મ

ધર્મ હિંદુ શાસ્ત્ર-ગ્રંથો પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો અર્થ : ‘ધર્મ’ શબ્દનો સંસ્કૃત ભાષામાં જે રીતે પ્રયોગ થયો છે તે જોતાં તેનો બીજી ભાષામાં પર્યાય શોધવો મુશ્કેલ છે. કોશોમાં તેનો અર્થ આજ્ઞા કે વિધિ, ફરજ, અધિકાર, ન્યાય, નીતિ, સદગુણ, ધર્મ (religion), સત્કાર્ય કે લક્ષણ તરીકે આપેલો  મળે છે. ધર્મની કલ્પના દેવતા તરીકે…

વધુ વાંચો >