Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

મિત્રવૃંદા

Feb 2, 2002

મિત્રવૃંદા : અવંતિ નરેશ જયસેનની પુત્રી. તેની માતાનું નામ રાજાધિદેવી હતું અને રાજાધિદેવી શ્રીકૃષ્ણની ફોઈ થતી હતી. તેના પુત્રો અનુવિંદ અને વિંદ પોતાની બહેન મિત્રવૃંદાનાં લગ્ન શ્રીકૃષ્ણ વેરે થાય એ ઇચ્છતા નહોતા. મિત્રવૃંદા માટે સ્વયંવર રચવામાં આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે આક્રમણ કરીને એ બંને ભાઈઓને પરાજિત કરી મિત્રવૃંદાનું અપહરણ કર્યું. મિત્રવૃંદાને પોતાની આઠ પટરાણીઓ પૈકીની એક…

વધુ વાંચો >

માંડવીનું સુંદરવનનું મંદિર

Feb 1, 2002

માંડવીનું સુંદરવનનું મંદિર  (ઈ. સ. 1574) : કચ્છના રાવ ખેંગારજીએ વિ. સં. 1631માં બંધાવેલું મંદિર. મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ અંદરના ભાગમાં 3 303 મીટરનું છે. એની અંદર કમલાસન પર લાકડાના પરિકરમાં સુંદરવરજીની ઊભી શ્યામ-શિલામાં કંડારેલી પ્રતિમા નજરે પડે છે. સભામંડપમાં દાખલ થવા માટે ત્રણે બાજુ મુખમંડપ કાઢેલા છે. મંડપનું વિતાનક આઠ સ્તંભો પર ટેકવેલું છે.…

વધુ વાંચો >

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન)

Feb 8, 1999

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન) : હિંદુ મંદિરોની જેમ જિનમંદિરોમાં મુકાતાં મોટે ભાગે પૂરા કદનાં દ્વારપાળનાં મૂર્તિશિલ્પો. આ શિલ્પો શાસ્ત્રના નિયમ પ્રમાણે કંડારાયેલાં છે. રૂપમંડન અને રૂપાવતાર જેવા શિલ્પગ્રંથો આ દ્વારપાળોનાં આયુધો, ઉપકરણો, અભિધાનો વગેરે શાસ્ત્રીય રીતે કંડારવાનો આગ્રહ રાખે છે. દરેક પ્રતિહાર ચતુર્ભુજ હોય છે તેમનું મૂર્તિવિધાન કોષ્ટકમાં આ પ્રમાણે નિર્દેશી શકાય છે : પ્રતિહારનું નામ…

વધુ વાંચો >

બહમની સ્થાપત્યકલા

Jan 6, 2000

બહમની સ્થાપત્યકલા : 14મી–16મી સદી દરમિયાન દખ્ખણમાં બહમની સુલતાનોએ કરાવેલાં સ્થાપત્યોમાં પ્રગટ થયેલી ભારત અને વિદેશી કલાનું સમન્વિત રૂપ. બહમની રાજ્યો(ગુલબર્ગ, બિજાપુર, બીડર, દૌલતાબાદ)માં ઇજિપ્ત, ઈરાન તથા પશ્ચિમ એશિયાના દેશોમાંથી અનેક લોકો આવી વસ્યા હતા. તેમાં કેટલાક કારીગરો અને શિલ્પીઓ પણ હતા. તેમની મારફતે ઈરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન વગેરે દેશોની કલા-પરંપરાઓ પણ આવી. બીજી બાજુ તેમાં…

વધુ વાંચો >

બોધિવૃક્ષ (શિલ્પ વિધાન)

Jan 1, 2001

બોધિવૃક્ષ (શિલ્પ વિધાન) : બુદ્ધની પ્રતિમાના સર્જન પહેલાં પ્રચલિત પૂજાનું મહત્વનું પ્રતીક. બૌદ્ધ સંપ્રદાયોમાં બોધિવૃક્ષને ‘જ્ઞાનવૃક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. જે વૃક્ષ નીચે બેસીને ગૌતમને બોધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં તેઓ બુદ્ધ થયા એ વૃક્ષને ‘બોધિવૃક્ષ’ કહેવામાં આવે છે. પ્રતીક તરીકે એ એક ચૈત્યનું સ્વરૂપ ધરાવે છે. એને ફરતી વેદિકા રચી તેની પૂજા કરવામાં આવતી. ભરહૂતના સ્તૂપમાંથી…

વધુ વાંચો >

બુધ (મૂર્તિવિધાન)

Jan 22, 2000

બુધ (મૂર્તિવિધાન) : હિંદુ ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાંના નવ ગ્રહ તરીકે જાણીતા ગ્રહો પૈકીનો એક. ગ્રહો કેટલાંક મંદિરોમાં પૂજાતા હોવાથી ત્યાં એમની મૂર્તિઓ જોવામાં આવે છે. બુધને સામાન્યપણે ચંદ્રનો પુત્ર ગણવામાં આવે છે. તેની મૂર્તિ સિંહાસન પર બેઠેલી હોય છે. તેને પીળાં પુષ્પોનો હાર, સોનાના અલંકારો પહેરાવાય છે. બુધના શરીનો વર્ણ કર્ણિકાર પુષ્પના જેવો પીળો છે.…

વધુ વાંચો >

બુદ્ધ (વૈદિક પ્રતીક)

Jan 22, 2000

બુદ્ધ (વૈદિક પ્રતીક) : બુદ્ધના લોકોત્તર રૂપનું વૈદિક પ્રતીક. બુદ્ધના માનુષી રૂપ – ગૌતમ બુદ્ધ વિશે સાહિત્યે ગમે તેવાં વર્ણનો કર્યાં હોય પણ બુદ્ધના લોકોત્તર રૂપનો આધાર તો વૈદિક પ્રતીક છે. ‘લલિત વિસ્તર’માં બુદ્ધની જીવનલીલાનાં વર્ણનનો વિસ્તાર એ ધર્મના લોકોત્તરવાદી આચાર્યોએ વૈદિક પ્રતીકોના આધારે કર્યો છે. દા. ત., તુષિત સ્વર્ગનો શ્વેત હાથી, માતુકુક્ષિ દ્વારા જન્મ,…

વધુ વાંચો >

બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ

Jan 20, 2000

બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ : ભારતના સહુથી પ્રાચીન સિક્કા પાડવાની પદ્ધતિ. આ પદ્ધતિનો કંઈક ખ્યાલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૂટ-રૂપકારકના સંદર્ભમાં આપેલો છે. એમાં જણાવ્યા પ્રમાણે પહેલાં ધાતુને ભઠ્ઠીમાં મૂષા (ધાતુ ગાળવાની કુલડી)માં ઓગાળવામાં આવતી ને વિવિધ ક્ષાર વડે શુદ્ધ કરવામાં આવતી. પછી એના ઠરેલા ગઠ્ઠાને અધિકરણી (એરણ) પર મુષ્ટિકા (હથોડી) વડે ટીપીને એનાં નાનાં પતરાં ઘડવામાં આવતાં,…

વધુ વાંચો >

બિંદુ

Jan 20, 2000

બિંદુ : શબ્દ-સાધનામાં સંસારમાં વ્યાપ્ત અનાહત નાદને પિંડમાં પણ માનેલો છે. નાદથી પ્રકાશ થાય છે અને પ્રકાશનું વ્યક્ત રૂપ બિંદુ છે, જે તેજનું પ્રતીક છે. બિંદુના ત્રણ પ્રકાર છે : ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા. નાદ અને બિંદુની આ ક્રીડા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પિંડમાં એ બિંદુ વીર્યબિંદુના રૂપમાં હોય છે અને હઠયોગી સાધક તે બિંદુને કારણથી…

વધુ વાંચો >

બાલઅલી (કવિ) 

Jan 13, 2000

બાલઅલી (કવિ)  (17મી સદીનો ઉત્તરાર્ધ) : રામભક્તિ શાખાના સંત કવિ. મૂળ નામ બાલકૃષ્ણ નાયક. ‘બાલઅલી’ એ એમના ભાવદેહની સંજ્ઞા છે. અને એમની કૃતિઓમાં એ જ પ્રયોજાઈ છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા. શરૂઆતમાં રામાનુજ સંપ્રદાયની દીક્ષા લીધી અને અહોબલ ગાદી-પરંપરાનાં વૈષ્ણવચિહનો ધારણ કર્યાં. વર્ષોની સાધના છતાં તૃપ્તિ ન થતાં તેઓ અગ્રદાસજીની ગાદીના ચોથા આચાર્ય ચરણદાસના…

વધુ વાંચો >