Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine
પટ્ટડકલનાં શિલ્પો
પટ્ટડકલનાં શિલ્પો : કર્ણાટકના પટ્ટડકલમાં ચાલુક્ય શૈલીનાં વિરૂપાક્ષ મંદિર અને પાપનાથ મંદિર સુપ્રસિદ્ધ છે. ઈ. સ.ની 6ઠ્ઠી – 7મી સદીનાં આ મંદિરોમાં ચાલુક્ય શૈલીની શિલ્પકલા પૂર્ણપણે પાંગરેલી જોવામાં આવે છે. પાપનાથ મંદિરનાં ભોગાસનનાં સુંદર શિલ્પો ઉપરાંત ત્રિપુરાંતક અને રામાયણની સંપૂર્ણ કથાની હરોળો (લેબલ સહિત) કંડારેલી છે. વિરૂપાક્ષ મંદિરની બધી જ દીવાલો શિલ્પોથી ખીચોખીચ ભરેલી છે.…
વધુ વાંચો >તાંત્રિક મત
તાંત્રિક મત : ઈ. સ. 600થી 1200 દરમિયાન ભારતમાં પ્રચલિત મોટા-નાના તાંત્રિક-સાધનાપરક સંપ્રદાયો. બહારથી વિવિધતા ધરાવતા છતાં તત્વચિંતનને બદલે સાધના-પદ્ધતિ પર આવા સંપ્રદાયો ભાર મૂકતા હતા. કોઈ એક દેવતા કે શક્તિને સૃષ્ટિના મૂળ તત્વ તરીકે માની, તેની ઉપાસનાપદ્ધતિનો પ્રચાર કરવો, વિશિષ્ટ બીજાક્ષરો અને તેના વિધિવિધાન તથા મહિમા પ્રગટ કરવો, યંત્રો રચવાં, ભૂતસિદ્ધિ, કુંડલિની યોગ, રહસ્યપૂર્ણ…
વધુ વાંચો >પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)
પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ અને વરદ હોય છે. પાર્શ્વનાથની…
વધુ વાંચો >પૂષા
પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ અને ચંદ્રમાની સાથે રહે છે.…
વધુ વાંચો >પૂર્વી-ગંગ શિલ્પશૈલી
પૂર્વી-ગંગ શિલ્પશૈલી : જુઓ ઓડિશાની શિલ્પકલા.
વધુ વાંચો >પૂર્ણકુંભ
પૂર્ણકુંભ : ફૂલ-પત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનો પ્રતીક. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલ-પત્તાં જીવનનાં નાનાં વિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે, એ જ રીતે વિરાટ વિશ્વ પૂર્ણકુંભ છે. ઋગ્વેદમાં જેને પૂર્ણ કે ભદ્રકલશ કહેલ છે તે સોમરસથી ભરેલ પાત્ર છે. અથર્વવેદમાં…
વધુ વાંચો >પુરંજન
પુરંજન : શ્રીમદભાગવત્ અનુસાર પાંચાલ દેશનો પ્રતાપી રાજા. આ રાજાએ એક વાર પશુ બલિ યજ્ઞમાં અનેક પશુઓનો બલિ આપ્યો હતો. પાછળથી આ ઘોર કર્મ માટે એને અત્યંત ગ્લાનિ થઈ. એ એના પ્રાયશ્ચિત માટે ચિંતિત હતો. નારદજીએ એને ખબર કહ્યા કે જે જે પશુઓનો તેં હોમ કર્યો છે એ બધાં તારા માર્ગની રાહ જુએ છે. આથી…
વધુ વાંચો >પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ)
પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર ધીરમાં આવેલા વૈષ્ણવ સાધુનું ઉચિત…
વધુ વાંચો >પાંડ્ય શિલ્પકલા
પાંડ્ય શિલ્પકલા : સુદૂર દક્ષિણમાં પાંડ્ય રાજ્યમાં 8મી સદીથી પ્રચલિત થયેલ શિલ્પશૈલી. પલ્લવ શૈલીનાં પ્રભાવવાળાં પાંડ્ય સ્થાપત્યોમાં શિલ્પો પણ એનાથી પ્રભાવિત હોવાનું જણાય છે. તિરુમલાઈપુરમનું શૈલમંદિર પૂર્વકાલીન પાંડ્યશૈલીનું સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. એના બ્રહ્મા, નૃત્ય કરતા શિવ તથા વિષ્ણુ અને ગણેશનાં શિલ્પોમાં દેહનું સ્થૂળપણું અને અન્ય સુશોભનોની સજાવટમાં સાદાઈ એ આ કલાની નોંધપાત્ર વિશેષતા…
વધુ વાંચો >પાંડરા
પાંડરા : ચોથા ધ્યાની બુદ્ધ અમિતાભની બુદ્ધશક્તિ. જેમ ધ્યાની બુદ્ધ અમિતાભને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા માનવામાં આવે છે તેમ તેની બુદ્ધશક્તિ પાંડરાને વર્તમાન કલ્પની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. તે રક્તવર્ણની, એક મુખવાળી અને દ્વિભુજ છે. જમણો હાથ લટકતો અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. બંને હાથમાં કમળ ધારણ કરેલાં છે. મસ્તકે રત્નજડિત મુકુટમાં અમિતાભની પ્રતિમા અંકિત…
વધુ વાંચો >